ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અરવિંદ કેજરીવાલને ED એ 9 મી વખત મોકલ્યું સમન્સ, વાંચો અહેવાલ

લોકસભાની ચૂંટણી હવે જ્યારે નજીક છે તેવા જ સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને નવમું...
12:36 PM Mar 17, 2024 IST | Harsh Bhatt
લોકસભાની ચૂંટણી હવે જ્યારે નજીક છે તેવા જ સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને નવમું...

લોકસભાની ચૂંટણી હવે જ્યારે નજીક છે તેવા જ સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 કેસમાં અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને નવમું સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને 21 માર્ચે તપાસમાં સામેલ થવા કહ્યું છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરવિંદ કેજરીવાલને 8 વખત સમન્સ મોકલ્યું છે, દર સમયે અરવિંદ કેજરીવાલે તેની અવગણના જ કરી છે.

અરવિંદ કેજરીવાલનો દાવો કે ED તેમની ધરપકડ કરવા માંગે છે

ED દ્વારા અરવિંદ કેજરીવાલને પહેલા પણ સમન્સ મોકલવામાં આવ્યા છે, કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે સમન્સ મોકલ્યા હતા. સીએમ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

કોર્ટે કેજરીવાલને EDના સમન્સનો જવાબ આપવા જણાવ્યું છે

રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ED સમન્સનો જવાબ આપવા અને કાયદાનું પાલન કરવા જણાવ્યું હતું. કોર્ટે કેજરીવાલને એવો પણ નિર્દેશ આપ્યો છે કે બંધારણ પર શપથ લેનાર વ્યક્તિએ કાયદાનું પાલન કરવું જોઈએ.

દિલ્હીના શિક્ષણમંત્રી આતિષીએ કર્યા કેન્દ્ર ઉપર પ્રહાર 

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા આતિષીએ કહ્યું કે, પીએમ મોદીને માત્ર ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ધકેલી દેવા અને પ્રચાર કરતા રોકવાની ચિંતા છે.આ જ કારણ છે કે જેમ જેમ કોર્ટની પ્રક્રિયા શરૂ થઈ, તેમણે તેના સમાપ્ત થવાની કોઈ રાહ જોઈ ન હતી. . થોડા જ કલાકોમાં ED એ કેજરીવાલને અન્ય એક નકલી કેસમાં સમન્સ મોકલ્યું. જલ બોર્ડનો મામલો કયો છે અને તેમાં કયા આક્ષેપો છે તે જાણી શકાયું નથી. અમને એ પણ ખબર નથી કે આમાં શું તપાસ થઈ રહી છે અને તે કૌભાંડ છે કે કેમ. આ આઇટમ એટલા માટે મોકલવામાં આવી છે કારણ કે કદાચ નરેન્દ્ર મોદીને શંકા છે કે તેઓ એક્સાઇઝ કેસમાં કેજરીવાલની ધરપકડ કરી શકશે કે નહીં.

આ પણ વાંચો : લોકપ્રિય ગાયિકા અનુરાધા પૌડવાલ જોડાયા ભાજપમાં; કહ્યું – “અમારા આદર્શો એક જ છે”

Tags :
Aam Aadmi PartyAATISHIArvind KejriwalCrime NewsDelhi CMedElectionlok-sabhaMANISH SISODIYAMONEY LAUNDRING CASENationalpm modiSENDsummons
Next Article