Emergency 50th Anniversary : આજે ભાજપ ઉજવશે સંવિધાન હત્યા દિવસ, દિલ્હીમાં ઠેર ઠેર લાગ્યા પોસ્ટર્સ
વર્ષ 1975માં આજના દિવસે 25મી જૂનના રોજ કટોકટી લાદી દેવામાં આવી હતી. ભાજપે આ દિવસે સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day) નું આયોજન કર્યુ છે. વાંચો વિગતવાર.
Advertisement
- વર્ષ 1975માં લદાયેલ કટોકટીને આજે 50 વર્ષ થયા
- ભાજપ આજે ઉજવશે Constitution Assassination Day
- કટોકટીએ સરમુખ્ત્યારશાહી માનસિકતાનું પરિણામ - અમિત શાહ
Emergency 50th Anniversary : 25મી જૂન 1975 ના રોજ સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું કારણ કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) એ કટોકટી લાદી દીધી હતી. ભાજપ દર વર્ષે આ દિવસ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ (Constitution Assassination Day) તરીકે ઉજવવાનું આયોજન કર્યુ છે. રાજધાની દિલ્હીના રસ્તાઓ પર કટોકટીના ઘણા બેનરો લગાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કટોકટીને સરમુખત્યારશાહી માનસિકતાનું પરિણામ ગણાવ્યું છે.

