Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

J&K ના પૂંછમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારની ઘટના સોમવારે રાત્રે સુરનકોટના લસાણા ગામમાં બની હતી. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
j k ના પૂંછમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ  2 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા
Advertisement
  • સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
  • સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
  • 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર

Clashes between security forces and terrorists: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના એક ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારની ઘટના સોમવારે રાત્રે સુરનકોટના લસાણા ગામમાં બની હતી. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ગઈકાલે રાત્રે સુરનકોટના લસાણામાં પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓની હાજરીની જાણ થઈ હતી," સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર લખ્યું. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને શોધખોળ કામગીરી ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં એક સેનાનો જવાન ઘાયલ થયો હતો અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો :  Waqf Amendment Act ના સમર્થનમાં 7 રાજ્ય સરકારો સુપ્રીમ કોર્ટ પહોંચી, નવા કાયદાને પારદર્શક અને ન્યાયી ગણાવ્યો

Advertisement

Tags :
Advertisement

.

×