Jammu and Kashmir : કિશ્તવાડમાં ફરી અથડામણ, આર્મીના જવાનોએ 2-3 આતંકવાદીઓને ઘેર્યા
- Jammu and Kashmir : કિશ્તવાડમાં ફરી એક વખત અથડામણ
- આર્મીના જવાનોએ 2-3 આતંકવાદીઓને ઘેર્યા
- ભારે બરફ વર્ષામાં આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી
Jammu and Kashmir : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ફરી એક વખત સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ અથડામણ કિશ્તવાડના ડોલગામ વિસ્તારમાં થયું છે. જ્યાં 18,22 અને 24 જાન્યુઆરીએ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કિશ્તવાડ પાસે હાલમાં 2-3 આતંકવાદીને ઘેરી લીધા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હોનું બહાર આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 29 જાન્યુઆરીના રોજ, ગૃહ વિભાગે રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા ઇન્ટરનેટ સેવાઓના દુરુપયોગને કારણે કિશ્તવાડ જિલ્લાના ત્રણ વિસ્તારોમાં 2G, 3G, 4G અને 5G મોબાઇલ ડેટા સેવાઓને હંગામી ધોરણે સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો.
Jammu and Kashmir : 3 આતંકવાદીની શોધખોળ હાથ ધરી
25 જાન્યુઆરીના રોજ, અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે રવિવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું હતું. છેલ્લા અઠવાડિયામાં પહાડી જિલ્લાના ચત્રુ વિસ્તારમાં આ ત્રીજું અથડામણ હતું. આ વિસ્તારમાં ભારે હિમવર્ષા છતાં, સેના અને પોલીસે જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના જૂથની શોધખોળ હાથ ધરી છે.
આ અથડામણ રાત્રે 10:20 વાગ્યે શરૂ થયું. આ અથડામણ ત્યારે થયું જ્યારે સેના અને પોલીસની સંયુક્ત સર્ચ ટુકડી જાનસીર-કંદીવાર જંગલ વિસ્તારમાં ઓપરેશન ચલાવી રહી હતી. અધિકારીઓએ તે સમયે અહેવાલ આપ્યો હતો કે સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો. જેમ જેમ પરિસ્થિતિ આગળ વધતી ગઈ તેમ તેમ વચ્ચે-વચ્ચે ગોળીબાર શરૂ થયો.
During the ongoing joint Operation Trashi-I, contact with terrorists was re-established in the early hours of 31 Jan 2026, in the general area of Dolgam by troops of White Knight Corps, J&K Police and CRPF. Intelligence from all sources had been coordinated to provide inputs to… pic.twitter.com/TKoXAVN35d
— ANI (@ANI) January 31, 2026
ભારે હિમવર્ષા થતા બરફથી ઢંકાયેલો છે વિસ્તાર
ચત્રુ વિસ્તાર બરફથી ઢંકાયેલો હોવા છતાં, 18 જાન્યુઆરીએ મંડરાલ-સિંહપોરા નજીકના સોનાર ગામમાં પ્રથમ ગોળીબાર પછી સેનાએ આતંકવાદીઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. શરૂઆતની અથડામણમાં એક પેરાટ્રૂપર માર્યો ગયો હતો અને સાત અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. જોકે, આતંકવાદીઓ ગાઢ વનસ્પતિ અને મુશ્કેલ ભૂપ્રદેશનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ 22 જાન્યુઆરીએ શરૂઆતની અથડામણ સ્થળથી થોડા કિલોમીટર દૂર તેમને અટકાવવામાં આવ્યા હતા. આ વખતે પણ સુરક્ષા દળોને સફળતા મળી ન હતી, પરંતુ શુક્રવારે આ વિસ્તારમાં બે ફૂટથી વધુ બરફ પડ્યો હોવા છતાં, તેમણે શોધખોળ ચાલુ રાખી.
આ પણ વાંચો : Political 'Turn' of Tharoor: ગઈકાલે મન મળ્યા અને આજે રાહુલ ગાંધીની પ્રશંસા પાછળની કહાની


