વોટચોરીના આરોપો વચ્ચે મતગણતરીના નિયમોમાં મોટો ફેરફાર, જાણો શું છે નવો નિયમ?
- ચૂંટણીપંચે મતગણતરીની પ્રક્રિયામાં કર્યો ફેરફાર (EVM Postal Ballot Counting)
- EVM અને VVPATના મત ગણતરીમાં ફેરફાર
- હવે VVPATની ગણતરી બાદ જ EVMના મતની ગણતરી થશે
- સમગ્ર પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ભૂલરહિત બનાવવાનો
ભારતના ચૂંટણી પંચે મતગણતરીની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવેથી, EVM અને VVPATના મતોની ગણતરી ફક્ત ત્યારે જ શરૂ થશે જ્યારે પોસ્ટલ બેલેટની ગણતરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ પહેલાં, EVMની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી સાથે-સાથે અથવા તેના પૂર્ણ થયા પહેલાં પણ ચાલુ રાખી શકાતી હતી.
ચૂંટણી પંચનું કહેવું છે કે આ પગલું મતગણતરીમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા લાવવા માટે લેવામાં આવ્યું છે. આ નવા નિયમનો હેતુ સમગ્ર પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ભૂલરહિત બનાવવાનો છે.
શું છે નવો નિયમ? (EVM Postal Ballot Counting)
મતદાનના દિવસે, પોસ્ટલ બેલેટની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થાય છે, જ્યારે EVMની ગણતરી સવારે 8:30 વાગ્યે શરૂ થાય છે. નવા નિયમ અનુસાર, હવે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સંપૂર્ણપણે પૂરી થયા પછી જ EVMની ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે.
આ નિયમ લાગુ થવાથી, પોસ્ટલ બેલેટ અને EVMના મતોનો રેકોર્ડ અલગ-અલગ રાખવામાં આવશે, જેનાથી ભૂલ થવાની શક્યતા ઓછી થશે. આ નિર્ણયથી રાજકીય પક્ષો અને ઉમેદવારોનો મતગણતરી પ્રક્રિયા પરનો વિશ્વાસ વધશે.
આ પણ વાંચો : કર્ણાટક હાઈકોર્ટનો X(Twitter)ને આદેશ: ભારતમાં રહેવું હોય તો કાયદા પાળો
શા માટે આ ફેરફાર કરવામાં આવ્યો? (EVM Postal Ballot Counting)
તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન, રાજકીય પક્ષો દ્વારા પોસ્ટલ બેલેટ અને EVMની ગણતરીની પદ્ધતિ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદોને ટાળવા અને મતગણતરીની પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે આ નવો નિયમ અમલમાં મૂક્યો છે.
નિયમનું પાલન કરવા કડક આદેશ
ચૂંટણી પંચે તમામ મતગણતરી કેન્દ્રોને આ નિયમનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ ફેરફાર ખાસ કરીને તે કેન્દ્રો પર લાગુ પડશે જ્યાં પોસ્ટલ બેલેટની મોટી સંખ્યામાં ગણતરી થવાની છે. તેનાથી મતગણતરીની વિશ્વસનીયતામાં વધારો થશે અને તમામ મતોની સાચી ગણતરી સુનિશ્ચિત થશે.
આ પણ વાંચો : Bihar ચૂંટણીને લઈ BJP ની મોટી જાહેરાત, સી.આર.પાટીલને અપાઈ મહત્વની જવાબદારી