Mahakumbh માં ફરી એકવાર લાગી આગ, ટેંટમાંથી ઉઠવા લાગી ઉંચી આગની જ્વાળાઓ
- કુંભ મેળા ક્ષેત્રમાં ફરી એકવાર આગ લાગી
- ફાયર વિભાગ દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવાયો
- આગના કારણે કોઇ પણ જાનહાની થઇ નથી
પ્રયાગરાજ : મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી એકવાર આગ લાગી છે. હરિહરાનંદના તંબુમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળતી દેખાઈ રહી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે.
પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી એકવાર આગ લાગી છે. આ વખતે હરિહરાનંદના તંબુમાં આગ લાગી છે. તંબુમાંથી ઉંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો : મુશ્કેલીમાં SONU SOOD, અભિનેતાની ગમે તે ઘડીએ થઇ શકે છે ધરપકડ
સેક્ટર 18 શંકરાચાર્ય માર્ગમાં આગ લાગી
મહાકુંભ મેળા વિસ્તારમાં શંકરાચાર્ય માર્ગ પર સેક્ટર 18 માં આગ લાગી છે. તંબુમાં જ્વાળાઓ વધતી જોવા મળી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. મેળા વિસ્તારમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો છે. ખાક ચોક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે જૂના જીટી રોડ પર તુલસી ચારરસ્તા પાસેના એક કેમ્પમાં આગ લાગી હતી. જોકે, અગ્નિશામક દળ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેને મોટા પ્રમાણમાં કાબુમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : IND vs ENG: રોહિતે ODIમાં હાંસલ કરી વિશેષ સિદ્ધિ,MS ધોનીને પાછળ છોડ્યા
પહેલા સેક્ટર 22 માં આગ લાગી હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ મહા કુંભ મેળા દરમિયાન સેક્ટર 22 ની બહાર ચમનગંજ ચોકી પાસેના એક તંબુમાં આગ લાગી હતી. આના કારણે 15 તંબુ બળીને રાખ થઈ ગયા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
કોઈ જાનહાનિ થઈ નથી
મુખ્ય ફાયર ઓફિસર (કુંભ) પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે સેક્ટર 22 ની બહાર ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. જેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને આગ ઓલવી નાખવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સ્થળ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહનોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, સમયસર આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ પણ વાંચો : નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને ગીફ્ટ આપ્યું ગોલ્ડન પેજર, હિઝબુલ્લાહને લાગશે આગ