Firing on LoC: પાકિસ્તાનની અવળચંડાઈ! LoC પર ફાયરિંગમાં 13 ભારતીયોના મોત, 57 થી વધુ ઈજાગ્રસ્ત
- જમ્મુ-કાશ્મીરમાં LoC નજીક પાકિનું સીઝફાયર
- ફાયરિંગમાં 3 ભારતીયોના મોત,57 ઘાયલ
- નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા
Firing on LoC : ભારતના હુમલા બાદ પાકિસ્તાની સેનાએ LoC પર ભારે ગોળીબાર શરૂ કર્યો હતો. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ પૂંછ, કુપવાડા, તંગધારના ઘણા આગળના વિસ્તારોમાં મોર્ટાર છોડ્યા હતા.
57 અન્ય ઘાયલ થયા
ભારતના હુમલા બાદ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં LoC નજીકના આગળના વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર બાળકો સહિત 13 લોકો માર્યા ગયા હતા જ્યારે 57 અન્ય ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ભારતના મિસાઇલ હુમલા બાદ પાકિસ્તાની સેનાએ બુધવારે મોડી રાત્રે એલઓસી નજીકના આગળના વિસ્તારોમાં તાત્કાલિક જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન, પાકિસ્તાની સેનાએ પણ મોર્ટાર છોડ્યા હતા.
ભારતે પાકિસ્તાનની ઘણી ચોકીઓનો નાશ કર્યો
જોકે ભારતીય સેનાએ તોપમારાનો યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની કાર્યવાહીમાં દુશ્મન પક્ષના ઘણા લોકોને પણ જાનહાનિ થઈ હતી. આ દરમિયાન ભારતે પાકિસ્તાનની ઘણી ચોકીઓનો નાશ કર્યો હતો. પાકિસ્તાની બાજુથી પૂંછમાં નિયંત્રણ રેખાના તમામ વિસ્તારોમાંથી તોપમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજૌરી અને કુપવાડાના ઉરી, કરનાહ અને તંગધાર સેક્ટરના આગળના વિસ્તારોમાં પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
#WATCH | Residents being shifted from areas located near the LoC in J&K to safer locations. pic.twitter.com/Aeo58oE691
— ANI (@ANI) May 7, 2025
પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 13 ભારતીયોના મોત
આ ગોળીબાર રાત્રે લગભગ 2 વાગ્યે સમગ્ર સરહદી વિસ્તારોમાં શરૂ થયો હતો. આડેધડ ગોળીબારને કારણે ઘણા ઘરોને નુકસાન થયું હતું, વાહનો બળી ગયા હતા, દુકાનોને નુકસાન થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારે તોપમારો અને મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માનકોટ, મેંધાર, થાંડી કાસી અને પૂંછ શહેરના ડઝનબંધ આગળના ગામો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જીવ ગુમાવનારા ભારતીયોમાં 13 લોકોનો સમાવેશ થાય છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે 12 લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે એક હજુ પણ લાપતા છે.
12 નામ જાહેર કરાયા
- બલવિંદર કૌર ઉર્ફે રૂબી (33)
- મોહમ્મદ જૈન ખાન (10)
- ઝોયા ખાન (12)
- મોહમ્મદ અકરમ (40)
- અમરીક સિંહ (55)
- મોહમ્મદ ઇકબાલ (45)
- રણજીત સિંહ (48)
- શકીલા બી (40)
- અમરજીત સિંહ (47)
- મરિયમ ખાતૂન (7)
- વિહાન ભાર્ગવ (13)
- મોહમ્મદ રફી (40)
અધિકારીઓએ જણાવ્યું હતું કે બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં પાંચ સગીર બાળકો સહિત દસ લોકો ઘાયલ થયા હતા, જ્યારે રાજૌરીમાં ત્રણ અન્ય ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લાના કરનાહ સેક્ટરમાં ગોળીબારને કારણે ઘણા ઘરોમાં આગ લાગી હતી.
ભારતે પહેલગામનો બદલો લીધો
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ભારતે પાકિસ્તાનમાં લગભગ 9 સ્થળોએ હુમલો કર્યો. 25 મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પીઓકેમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો.