Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ram Navami 2026 : ઝારખંડના ગઢવા જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, 12 લોકોની અટકાયત

Ram Navami 2026 : ઝારખંડના ગઢવા જિલ્લામાં રામ નવમીની મહાઅષ્ટમી પર મોડી રાત્રે જૂથ અથડામણ થતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. રામકાંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો હિંસક અથડામણમાં થયું હતું, જેના કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો.
ram navami 2026   ઝારખંડના ગઢવા જિલ્લામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો  12 લોકોની અટકાયત
Advertisement
  • Ram Navami 2026 : ગઢવામાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ.
  • હિંસક અથડામણમાં 6 પોલીસકર્મીઓ ઘાયલ.
  • શોભાયાત્રાના રૂટને લઈને સર્જાયો વિવાદ,આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.

Ram Navami 2026 : ઝારખંડના ગઢવા જિલ્લામાં રામ નવમીની મહાઅષ્ટમી પર મોડી રાત્રે જૂથ અથડામણ થતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. રામકાંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો હિંસક અથડામણમાં થયું હતું, જેના કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો.

Ram Navami 2026 : 24 કલાકથી ચાલુ હતો વિવાદ

શોભાયાત્રાના રૂટ અંગે બુધવાર રાતથી તણાવ ચાલી રહ્યો હતો. ગુરુવારે દિવસભર વિરોધ પ્રદર્શન બાદ, પોલીસ સુરક્ષા હેઠળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગુરુવારે મોડી સાંજે, શોભાયાત્રા કૌખોહ શિવ મંચ પાસે પહોંચતા, એક ચોક્કસ સમુદાયના સભ્યોએ તેની પ્રગતિ અટકાવી દીધી. નજીવો વિવાદ ઝડપથી પથ્થરમારા સુધી વધ્યો, બંને પક્ષે ઇંટો અને પથ્થરો ફેંક્યા.

Advertisement

વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો.

પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને, ડીઆઈજી કૌશલ કિશોર અને પોલીસ અધિક્ષક અમન કુમાર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા હતા અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. હિંસક અથડામણમાં 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા, જ્યારે બંને પક્ષના અનેક નાગરિકો પણ ઘાયલ થયા. ઘાયલોમાં મિથિલેશ કુમાર, અનિલ કુમાર અને સચિન કુમારનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં સારવાર હેઠળ છે.

Advertisement

12 લોકોની અટકાયત કરી

પોલીસે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ અસામાજીક તત્વોને અટકાયતમાં લીધા છે અને 12 મોટરસાયકલ જપ્ત કરી છે. વિવાદની ગંભીરતાને જોતાં, રામકંડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુરેન્દ્ર સિંહ કુંતીયાને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે, અને આરકે પટેલને નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડીઆઈજીએ કડક શબ્દોમાં કહ્યું છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Gwalior Road Accident : થાટીપુર જૈન મંદિર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

Tags :
Advertisement

.

×