ગુજરાતના મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં અમદાવાદ સાયન્સ સિટીના વિસ્તરણ અને ગુજરાતને વિજ્ઞાન તથા ટેક્નોલોજીનું મુખ્ય કેન્દ્ર બનાવવાની યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. યુવાનો માટે વૈજ્ઞાનિક સુવિધાઓ અને નવા પ્રોજેક્ટ્સ વિકસાવવા અંગે માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે
Arjunsinh Modhwadiya Delhi Visit: ગુજરાત (Gujarat) સરકારના મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા (Arjunsinh Modhwadiya) હાલ દિલ્હી (Delhi) ની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક રાજકીય તેમજ વિકાસલક્ષી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના વિકાસને વેગ આપવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સાયન્સ સિટી અંગે ચર્ચા
મુલાકાતની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો, બેઠકમાં વિશેષરૂપે અમદાવાદ સાયન્સ સિટી (Ahmedabad Science City) ના ભવિષ્યના વિસ્તરણ અંગે સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતને દેશભરમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું અગ્રેસર હબ (Science and Technology Hub) બનાવવાની દિશામાં સરકાર સતત કામ કરી રહી છે. આ જ વિઝનને આગળ વધારવા માટે સાયન્સ સિટી પરિસરમાં નવા અત્યાધુનિક પ્રોજેક્ટ્સ (New Projects) અને પ્રવાસીઓ તથા વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ (Advanced Facilities) ઊભી કરવા બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી પાસેથી અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
વિવિધ આધુનિક પ્રવૃત્તિઓ શરૂ કરવા પર પણ ભાર
આજના આધુનિક યુગમાં યુવા પેઢી (Young Generation) અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ વધે અને તેમનો વૈજ્ઞાનિક અનુભવ વધુ સમૃદ્ધ બને તે માટે વિવિધ આધુનિક પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ શરૂ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાની આ બેઠકથી આગામી સમયમાં ગુજરાતના શૈક્ષણિક અને ટેક્નોલોજીકલ માળખાને વધુ મજબૂત બનાવવામાં મોટી મદદ મળશે તેવું સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો: Maharashtra: હુમલા બાદ PM મોદીએ સુખબીર બાદલની તબિયત પૂછી, પત્ની હરસિમરત કૌરને કર્યો ફોન