Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

K Annamalai ની કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો!

દક્ષિણ ભારતના રાજકારણમાં કે. અન્નામલાઈનું આગામી પગલું અત્યારે સૌથી મોટો વિષય બન્યો છે. અમિતભાઈ શાહ સાથેની તેમની મુલાકાત બાદ રાજીનામાની ચર્ચાઓએ ગતિ પકડી છે. શું અન્નામલાઈ પોતાની અલગ પ્રાદેશિક ઓળખ બનાવશે? ગાડી પરથી ગાયબ થયેલો ઝંડો અને સમર્થકોના પોસ્ટર્સ આ ઘટનાક્રમ પાછળની ગંભીરતા દર્શાવે છે. આ રાજકીય ઘટનાક્રમમાં આવનારા દિવસોમાં શું આશ્ચર્યજનક વળાંક આવશે
k annamalai ની કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો
Advertisement

તમિલનાડુના રાજકારણમાં એક અત્યંત ચર્ચિત ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી કે. અન્નામલાઈ દિલ્હીના રાજકીય વર્તુળોમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમની મુલાકાત બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું અન્નામલાઈ ભાજપ સાથેના સંબંધોનો અંત લાવી રહ્યા છે?

અમિતભાઈ શાહ સાથે અન્નામલાઈએ કરી બેઠક

સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ સાથે પણ મહત્વની બેઠક કરી છે. જોકે તેમણે હજુ સુધી સત્તાવાર રીતે રાજીનામું નથી આપ્યું, પરંતુ તેમના સમર્થકો અને નજીકના વર્તુળો દ્વારા નવી પ્રાદેશિક પાર્ટી (Regional Political Party) શરૂ કરવાના સંકેતો સ્પષ્ટ મળી રહ્યા છે. આ સંભવિત પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય "ધર્મનિરપેક્ષ" અને "તમિલ-પ્રથમ" (Tamil-First) અભિગમ રાખવાનો છે, જે તમિલ ઓળખને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સાંકળશે.

Advertisement

Advertisement

તેમની ગાડી પર ભાજપનો ઝંડો ગાયબ હતો

અન્નામલાઈના રાજકીય માર્ગ પરિવર્તનના સંકેતો સોમવારે જ જોવા મળ્યા હતા, જ્યારે તેઓ ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પહોંચ્યા ત્યારે તેમની ગાડી પર ભાજપનો અધિકૃત ઝંડો ગાયબ હતો. આ નાનકડી લાગતી ઘટના રાજકીય પંડિતો માટે મોટો સંકેત સાબિત થઈ છે. આ દરમિયાન, 4 જૂને આવનારા તેમના જન્મદિવસ પહેલા ચેન્નાઈની શેરીઓમાં લાગેલા પોસ્ટર્સ, જેમાં "આવો અને અમારું નેતૃત્વ કરો" જેવા લખાણો છે, તે તેમના સમર્થકોની બદલાયેલી માનસિકતા દર્શાવે છે.

K Annamalai: તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

કે. અન્નામલાઈ હવે આગામી એક-બે દિવસમાં તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ (Press Conference) યોજીને પોતાના રાજકીય ભાવિ વિશે સ્પષ્ટતા કરશે તેવી પ્રબળ શક્યતા છે. અમિત શાહ સાથેની આ મુલાકાત શું સમાધાન લાવશે કે પછી ભાજપ માટે દક્ષિણ ભારતમાં મોટું નુકસાન સાબિત થશે, તે સમય જ કહેશે. તમિલનાડુનું રાજકારણ અત્યારે એક નિર્ણાયક વળાંક પર ઊભું છે.

આ પણ વાંચો: Gujarat Weather Forecast: આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર

Tags :
Advertisement

.

×