Delhi Rains 2025 : ભારે વરસાદ અને વાવાઝોડાથી વિનાશ વેરાયો, ઠેર ઠેર જળબંબાકાર
- નોઈડાના સેક્ટર 18, 62, 76માં બધે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે
- દક્ષિણ દિલ્હીના શેખ સરાયમાં Heavy Rain દરમિયાન એક ઝાડ પડી ગયુ
- ઝાડના નીચે 5 કાર અને અનેક ટુ વ્હીલર કચડાઈ ગયા છે
Delhi Rains 2025 : એનસીઆરમાં પડેલા ભારે વરસાદ (Heavy Rain) અને વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. કેટલીક જગ્યાએ વૃક્ષો ભોંયભેંગા થતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કેટલીક જગ્યાએ વધુ પડતું પાણી ભરાઈ જતા માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં નાની મોટી કાર, ટૂ વ્હીલર્સ અને સ્કૂલ બસો (School Buses) ખોટકાઈ ગઈ છે. આ કમોસમી વરસાદને લીધે દિલ્હી વહીવટી તંત્રની પોલ છતી ગઈ છે.
નાઈડાને પણ વરસાદે ઘમરોળ્યું
દિલ્હીની સાથે નોઈડામાં પણ ભારે વરસાદ (Heavy Rain) ખાબક્યો છે. નોઈડાના સેક્ટર 18, 62, 76માં બધે જ વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે રસ્તાઓ જામ થઈ ગયા હતા અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા છે. નાની મોટી કાર, ટૂ વ્હીલર્સ, લકઝરી બસો અને સ્કૂલ બસો ફસાઈ ગઈ છે. સ્કૂલ બસ ફસાઈ જવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
#WATCH दिल्ली: आज सुबह राष्ट्रीय राजधानी में तेज़ आंधी और बिजली कड़कने के साथ भारी बारिश हुई। वीडियो लाजपत नगर इलाके से है। pic.twitter.com/dJY0ht2Dat
— ANI_HindiNews (@AHindinews) May 2, 2025
આ પણ વાંચોઃ Delhi માં ભારે વરસાદે લીધા 4 લોકોના જીવ, જાણો ક્યારે અને ક્યાં બની દુર્ઘટના
આગામી 48 કલાક ભારે રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 48 કલાક સુધી દિલ્હી-એનસીઆરમાં ભારે પવન અને વરસાદ ચાલુ રહી શકે છે. લોકોને સાવધ રહેવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તુગલકાબાદમાં શાળાની સામેનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ (Flooded roads) થયો છે. દિલ્હીના આરકે પુરમના લાજપત નગરમાં ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી છે. વૃક્ષો પડી જવા અને પાણી ભરાઈ જવાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.
ઝાડે કારને કચડી નાખી
વાવાઝોડા અને વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. ગ્રેટર નોઈડા વેસ્ટમાં એક અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગની નબળી દિવાલ જોરદાર વાવાઝોડાને કારણે ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન નજીકમાં પાર્ક કરેલી એક કાર કાટમાળ નીચે દટાઈ ગઈ. સદનસીબે કારમાં કોઈ હાજર નહોતું જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જેસીબીની મદદથી કાટમાળ હટાવી રહી છે.
આ પણ વાંચોઃ Pahalgam terrorist attack અંગે 8 દિવસની તપાસમાં NIA ને કયા પુરાવા મળ્યા?