PM મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડા હાજર
- 'આતંક' પર સૌથી મોટા વારની તડામાર તૈયારી
- વડાપ્રધાન નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક
- વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી બેઠકમાં હાજર
- બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ હાજર
- બેઠકમાં ત્રણેય સેનાઓના વડા ઉપસ્થિત
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ હાજર
PM Modi High Level Meeting: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam terror attack)બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં (PM Modi High Level Meeting)આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે.
બેઠકમાં ત્રણેય સેનાઓના વડા ઉપસ્થિત
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો સમાવેશ થાય છે.
#WATCH | PM Narendra Modi chairs a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/Wf00S8YVQO
— ANI (@ANI) April 29, 2025
આ પણ વાંચો -Pahalgam Terror Attack: દિલ્હીમાં હલચલ તેજ!આવતીકાલે તાબડતોબ ચાર બેઠક
આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની રણનીતિ પર ચર્ચા
બેઠકમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે સવારે 7, લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને પ્રધાનમંત્રીને મળ્યા હતા. આ દરમિયાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સંરક્ષણ મંત્રીને હુમલા પછી લેવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો વિશે માહિતી આપી.
આ પણ વાંચો -Cyber Attacks : પાક દ્વારા ભારતીય સેનાની વેબસાઇટ પર સાયબર હુમલોનો પ્રયાસ
આતંકવાદી હુમલા બાદ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી
પહેલગામ આતંકવાદી હુમલા પછી, સરકારે એક સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી, જેમાં તમામ વિપક્ષી પક્ષોએ આતંકવાદ સામે લેવામાં આવેલા દરેક પગલામાં સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. હુમલા પછી તરત જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં, હુમલા પાછળ સરહદ પારના કાવતરાઓનો ખુલાસો થયો. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે અને રાજ્યના આર્થિક વિકાસ તરફ લેવામાં આવી રહેલા પગલાં વચ્ચે આ હુમલો થયો હોવાના અહેવાલ પણ મળ્યા છે.