Hyderabad: ચારમિનાર નજીક એક ઇમારતમાં ભીષણ આગ લાગી, 17 લોકોના મોત
- ચારમીનાર નજીક એક ઇમારતમાં ભીષણ આગ
- ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાના અહેવાલ
- CM રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
Gulzar House Fire: હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમીનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાના અહેવાલ છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
BJP ચીફ જી કિશન રેડ્ડીએ જણાવ્યું...
કેન્દ્રીય મંત્રી અને રાજ્યના BJP ચીફ જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે આગ એક પરિવારની માલિકીની મોતીની દુકાનમાં લાગી હતી. તેમનું ઘર દુકાનની ઉપરના ફ્લોર પર હતું. આ દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે... હું કોઈને દોષી ઠેરવી રહ્યો નથી. પોલીસ, મ્યુનિસિપલ, ફાયર અને વીજળી વિભાગોને મજબૂત બનાવવા જોઈએ. અહી ફાયર વિભાગ પાસે પુરતા સાધનો નથી. પરિવારે મને કહ્યું કે સવારે 7:30 વાગ્યા સુધી ફાયર એન્જિન પાસે પૂરતા સાધનો નહોતા. રાજ્ય સરકારે ફાયર વિભાગને વધુ ભંડોળ ફાળવવું જોઈએ. પ્રધાનમંત્રી સાથે વાત કર્યા પછી, હું મૃતકોના પરિવારો માટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય માંગીશ.
#WATCH | Hyderabad, Telangana | Union Minister and state BJP chief G Kishan Reddy and Telangana Minister Ponnam Prabhakar reach Gulzar House near Charminar, where a massive fire broke out in a building earlier today. Charminar MLA Mir Zulfeqar Ali also present at the spot. pic.twitter.com/GLMSmqazEN
— ANI (@ANI) May 18, 2025
પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ આગની ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. દરેક મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…
— PMO India (@PMOIndia) May 18, 2025
મૃતકોના નામ
મંત્રી પોન્નમ પ્રભાકરે 17 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં પ્રહલાદ (70), મુન્ની (70), રાજેન્દ્ર મોદી (65), સુમિત્રા (60), હામી (7), અભિષેક (31), શિતલ (35), પ્રિયાંશ (4), ઈરાજ (2), આરુષિ (3), ઋષભ (4), પ્રથમ (2), અનુયાન (3), વર્ષા (35), પંકા (35), રાજેન્દ્ર અને 33 વર્ષીય રાજકુમારનો સમાવેશ થાય છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ આગની ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, નિર્દોષ લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. ઘટનાસ્થળે હાજર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ધારાસભ્યએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, લગભગ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી એક સત્તાવાર પ્રકાશન અનુસાર, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
#WATCH | Hyderabad, Telangana | Union Minister and state BJP chief G Kishan Reddy says, "The fire broke out in a pearl shop owned by a family. Their house was on the floor above the shop. The accident happened due to a short circuit. Many people have died in the accident. Some… https://t.co/Tk0NBMaMbR pic.twitter.com/NzNPizPyJm
— ANI (@ANI) May 18, 2025
આ પણ વાંચો : ISRO નું EOS - 09 મિશન અધુરૂ રહ્યું, ત્રીજા તબક્કે સર્જાઇ ખામી