ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hyderabad : પૂર્વ ફૌઝીએ પહેલા કરી પત્નીની હત્યા, પછી શવના ટુકડા કરી કૂકરમાં બાફ્યાં

આરોપી પતિ ગુરુમૂર્તિએ હત્યા બાદ પરિવાર અને પોલીસ સામે નાટક કર્યું, પરંતુ પોલીસે તેના કૃત્ય પર શંકા કરી અને કડક પૂછપરછ બાદ તેને પોતાનો ગુનો કબૂલવા મજબૂર કર્યો.
12:18 PM Jan 23, 2025 IST | Hardik Shah
આરોપી પતિ ગુરુમૂર્તિએ હત્યા બાદ પરિવાર અને પોલીસ સામે નાટક કર્યું, પરંતુ પોલીસે તેના કૃત્ય પર શંકા કરી અને કડક પૂછપરછ બાદ તેને પોતાનો ગુનો કબૂલવા મજબૂર કર્યો.
Hyderabad Former Fauzi first killed his wife

Ex-Soldier Killed Wife Chopped Dead Body : તેલંગાણાના હૈદરાબાદમાં એક જઘન્ય હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. રંગારેડ્ડી જિલ્લાના મીરપેટ વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યા કરીને તેના શરીરના ટુકડા કર્યા અને તે પછી જે કર્યું તે જાણીને તમે પણ થોડીવાર માટે વિચારશો અને મનમાં સવાલ કરશો કે શું આજે પણ રાક્ષસી પ્રજાતીના લોકો જીવી રહ્યા છે. કૂકરમાં ઉકાળી તેને બાફી નાખ્યો.

પતિએ ગુનો કબૂલ્યો

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવ્યો છે. આરોપી પતિ ગુરુમૂર્તિએ હત્યા બાદ પરિવાર અને પોલીસ સામે નાટક કર્યું, પરંતુ પોલીસે તેના કૃત્ય પર શંકા કરી અને કડક પૂછપરછ બાદ તેને પોતાનો ગુનો કબૂલવા મજબૂર કર્યો. પોલીસ અનુસાર, ગુરુમૂર્તિ નામનો આ આરોપી પૂર્વ સૈન્યકર્મી રહી ચુક્યો છે, જેણે સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને તે પછી DRDOમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તેના પત્ની વેંકટ માધવી સાથેના લગ્નને 13 વર્ષ થયા હતા અને તેને બે બાળકો પણ છે. 15 જાન્યુઆરીના રોજ તેની પત્ની ગુમ થઈ હતી, અને તે જ દિવસે તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, 18 જાન્યુઆરીએ માધવીના ગુમ થવા અને હત્યાની સત્યઘટના પ્રકાશમાં આવી.

હત્યાનું કારણ

ગુરુમૂર્તિએ પોલીસને જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની માધવી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 15 જાન્યુઆરીના રોજ તેમના વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો હતો, તે દરમિયાન ગુસ્સામાં તેણે આવું ઘાતકી પગલું ભર્યું. માધવીને મારી નાખ્યા બાદ તે ક્રૂરતાની તમામ હદે પહોંચી ગયો. તેણે માધવીના શરીરના ટુકડા કર્યા અને તે પછી તેને કૂકરમાં બાફ્યા, અને હાડકાંને પીસી તળાવમાં ફેંકી દીધાં. માધવીના પરિવારે 15 જાન્યુઆરીથી તેણીને શોધવાની કોશિશ કરી. ગુરુમૂર્તિએ તેમના સાસરિયાઓને કહ્યું કે, અમારા વચ્ચે ઝઘડો થયો હતો જેના કારણે તે ઘર છોડીને ચાલી ગઈ છે, પરંતુ તે તેના માતા-પિતાના ઘરે પહોંચી નહોતી. જે કારણે પરિવારના દબાણ પર ગુરુમૂર્તિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો.

પોલીસને શંકા જતા થયો મોટો ખુલાસો

આ દરમિયાન પોલીસને ગુરુમૂર્તિના વર્તન પર શંકા જવા લાગી, અને કડક પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. આ ઘટના માત્ર માનવતાને જ શર્મસાર કરતી નથી પણ આ દર્શાવે છે કે લોકો ગુસ્સામાં કેવું કરી બેસે છે. આવા કૃત્ય સમાજના હૃદય પર ઉંડા ઘા કરી જાય છે. જણાવી દઇએ કે, ગુરુમૂર્તિ પર IPCની સંબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને હવે આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો :  5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન, હવે સાથે આત્મહત્યા કરી; પતિ-પત્નીએ કેમ ભર્યું આ પગલું?

Tags :
Domestic dispute escalatesEx-army man murder caseEx-Soldier Killed Wife Chopped Dead BodyEx-Soldier Murdered WifeGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHusband confesses murderHusband Kills WifeHyderabad gruesome murderHyderabad NewsIndian-ArmyKilled WifeMirpet crime caseTelangana NewsTelangana shocking incidentWife MurderWife's body parts boiledWife’s remains in cooker
Next Article