Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હું દુઃખી છું, પણ કોર્ટના નિર્ણયને પોતાનું ભાગ્ય માની સ્વીકાર... આરજી કર બળાત્કાર કેસમાં દોષિત સંજયની માતાએ શું કહ્યું?

આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના દોષિત સંજય રોયની માતાએ કહ્યું કે, તેમના પુત્રને સજા થવી જ જોઈએ. તેણીએ કહ્યું કે, તે કોર્ટના નિર્ણયને સ્વીકારશે.
હું દુઃખી છું  પણ કોર્ટના નિર્ણયને પોતાનું ભાગ્ય માની સ્વીકાર    આરજી કર બળાત્કાર કેસમાં દોષિત સંજયની માતાએ શું કહ્યું
Advertisement
  • સંજય રોયની માતાએ કહ્યું, તેને તેના કૃત્યો માટે સજા મળવી જ જોઈએ
  • તે કોર્ટના નિર્ણયને પોતાનું ભાગ્ય માની સ્વીકાર કરશે
  • કોર્ટ તેને ફાંસી આપવાનો આદેશ આપે તો કોઈ વાંધો નથી

RG Kar Hospital rape Case : કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલા સંજય રોયની માતાએ કહ્યું કે, જો તેમનો પુત્ર ગુનેગાર છે, તો તેને તેના કૃત્યો માટે સજા મળવી જ જોઈએ. ભલે તે સજા મૃત્યુ હોય. તેણીએ કહ્યું કે, જો તેના પુત્રને સજા થશે તો તે ચોક્કસપણે દુઃખી થશે, પરંતુ તે કોર્ટના નિર્ણયને પોતાનું ભાગ્ય માની સ્વીકાર કરશે.

જુનિયર ડૉક્ટરની માતાનું દર્દ અનુભવી શકુ છું

માલતી રોયે કહ્યું કે, તે પોતે એક મહિલા છે અને ત્રણ પુત્રીઓની માતા છે. તે જુનિયર ડૉક્ટરની માતાનું દર્દ અનુભવી શકે છે. તેમના પુત્ર સંજયની સજા અંગે તેમણે કહ્યું કે, જો કોર્ટ તેને ફાંસી આપવાનો આદેશ આપે તો પણ તેમને કોઈ વાંધો નથી.

Advertisement

આ પણ વાંચો : Mahakumbh Fire: PM મોદીએ ઘટનાની મેળવી જાણકારી, CM યોગીને કર્યો ફોન

Advertisement

કોર્ટની સુનાવણી દરમિયાન ક્યારેય સંજયને મળવાનું મન થયું

સિયાલદાહ કોર્ટે 18 જાન્યુઆરીએ સંજય રોયને દોષિત ઠેરવ્યો હતો. સંજયની માતાએ કહ્યું કે, કોર્ટની સુનાવણી દરમિયાન તેમને ક્યારેય સંજયને મળવાનું મન થયું નહીં. તેણીએ કહ્યું કે, જો આરોપો ખોટા હોત તો તેણીની તબિયત ખરાબ હોવા છતાં તેણીએ તેને મળવાનો પ્રયાસ કર્યો હોત.

જો દોષિત હોય તો તેને સજા થવી જોઈએ

સંજય રોયની બહેને કહ્યું કે, જો સંજય દોષિત છે તો તેને કાયદા દ્વારા સજા મળવી જોઈએ. તેણે કહ્યું કે, પરિવાર કોર્ટના આદેશને પડકારશે નહીં. તેણે એમ પણ કહ્યું કે, તેને તેના ભાઈ પર પૂરો વિશ્વાસ નહતો. આ તેમના પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. સંજય રોયની મોટી બહેને જણાવ્યું કે, તેનો ભાઈ બાળપણમાં સામાન્ય હતો. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તે દારૂનો વ્યસની બનતો ગયો.

પરિવાર માટે મુશ્કેલ સમય

બહેને કહ્યું કે, તેણીએ ક્યારેય તેના ભાઈને કોઈ સ્ત્રી સાથે ખરાબ વર્તન કરતા જોયો નથી. તેણીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ભાઈએ અલગ અલગ વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું હતું. જેના કારણે તેનો પરિવાર સાથે ખૂબ જ ઓછો સંપર્ક હતો. સંજય રોયના પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. જોકે, તેના પરિવારને કાયદામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને આ મુશ્કેલ સમયમાં, તેણીએ કહ્યું છે કે, તેઓ કોર્ટના નિર્ણયને પડકારશે નહીં પરંતુ તેને પોતાનું ભાગ્ય માનીને સ્વીકારશે.

આ પણ વાંચો :  ગુજરાતના વધુ એક IPSને કેન્દ્રમાં મોટી જવાબદારી, ACBના DGP ડૉ. શમશેર સિંઘ બન્યા BSFના ADG

Tags :
Advertisement

.

×