'હું ગોવાના CMની પત્ની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપું.', કોર્ટમાં બોલ્યા AAP સાંસદ સંજય સિંહ
- સંજય સિંહે કેશ-ફોર-જોબ કૌભાંડ અંગે સુલક્ષણા સાવંત વિશે નિવેદન આપ્યું હતું
- સુલક્ષણા સાવંતે તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા
- સુલક્ષણા સાવંતે સંજય સિંહને તેમના નિવેદનો બદલ માફી માંગવા કહ્યું છે
sanjay singh : 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં, આપ સાંસદ સંજય સિંહે કોર્ટને જણાવ્યું છે કે તેઓ કેસની આગામી સુનાવણી સુધી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંત વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે. તમને જણાવી દઈએ કે, સંજય સિંહે ગોવામાં કથિત કેશ-ફોર-જોબ કૌભાંડ અંગે સુલક્ષણા સાવંત વિશે દિલ્હીમાં નિવેદન આપ્યું હતું. જે બાદ સુલક્ષણા સાવંતે AAP સાંસદ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો સામે ગોવાની નીચલી કોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી હતી.
સુલક્ષણા સાવંતે AAP નેતાને માફી માંગવાની અપીલ કરી
શુક્રવારે કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ. સુલક્ષણા સાવંતે AAP નેતા દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને ખોટા અને બનાવટી ગણાવીને વળતર તરીકે 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સાથે જ, તેમની પાસેથી કોર્ટમાં બિનશરતી માફી માંગવાની માંગ પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, બિચોલિમની સિવિલ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 24 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.
આ પણ વાંચો : PM મોદીએ અમદાવાદી સ્કૂટર ચાલકને કર્યો યાદ, કહ્યું જાડી ચામડીના થવું જોઇએ
સંજય સિંહના વકીલે કોર્ટને આ ખાતરી આપી
સુનાવણી પછી, સુલક્ષણા સાવંતના વકીલો પ્રહલાદ પરાંજપે અને એસવી મનોહરે મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ આપ નેતાને વધુ અપમાનજનક નિવેદનો આપવાથી રોકવા માટે વચગાળાનો આદેશ પસાર કરે. આ અંગે સંજય સિંહના વકીલે કોર્ટને ખાતરી આપી કે, તેઓ આગામી સુનાવણીમાં તેમના ક્લાયન્ટ વિશે કોઈ નિવેદન નહીં આપે. હાલના કેસમાં, અરજદારનો આરોપ છે કે, સંજય સિંહે દિલ્હીમાં મીડિયાને નિવેદન આપીને તેમની સામે ખોટા આરોપો લગાવ્યા હતા.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિના કેસમાં મળ્યા જામીન, સાવરકર સાથે સંબંધિત છે મામલો