Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

અમેરિકા-ઈરાન યુદ્ધની ભારત પર શું થશે અસર? સોનાના ભાવથી લઈને બાસમતી ચોખા સુધી બધું જ મોંઘું થશે

હજારો કિલોમીટર દૂર છેડાયેલું અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ભારતના સામાન્ય નાગરિકના રસોડા અને રોકાણ પર સીધો પ્રહાર કરવા જઈ રહ્યું છે. માત્ર તેલના ભાવ જ નહીં, પરંતુ સુરક્ષિત રોકાણ મનાતા સોનાના ભાવમાં પણ જે રીતે ઉછાળો આવવાની શક્યતા છે તે જોઈને સામાન્ય માણસના હોશ ઉડી શકે છે. આ આર્થિક સુનામીમાં ભારતની કઈ નિકાસો અને ચલણ પ્રભાવિત થશે તે ખાસ જાણવું જોઈએ.
અમેરિકા ઈરાન યુદ્ધની ભારત પર શું થશે અસર  સોનાના ભાવથી લઈને બાસમતી ચોખા સુધી બધું જ મોંઘું થશે
Advertisement
  • યુએસ-ઈરાન યુદ્ધને કારણે કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $100 ને પાર કરી શકે (Impact of US-Iran War on India)
  • શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા, રોકાણકારોમાં ફેલાઈ ભારે અનિશ્ચિતતા
  • સુરક્ષિત રોકાણ તરીકે સોનાના ભાવ ₹1,70,000 સુધી પહોંચવાનો નિષ્ણાતોનો અંદાજ
  • ડોલર મજબૂત થતા ભારતીય રૂપિયાના મૂલ્યમાં મોટા ઘટાડાના સંકેતો

અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે છેડાયેલું આ યુદ્ધ હવે માત્ર બે દેશો કે ઈઝરાયલ (Israel) પૂરતું મર્યાદિત રહ્યું નથી. તેની લપેટમાં હવે સાઉદી અરેબિયા (Saudi Arabia), યુએઈ (UAE), કતાર (Qatar) અને બહેરીન (Bahrain) જેવા દેશો પણ આવી રહ્યા છે. ઈરાને આ પાડોશી દેશો પર પણ મોટા હુમલા કર્યા છે. મધ્ય-પૂર્વના (Middle East) આ ભડકાની ભારત પર કેવી અસર પડશે? ચાલો સમજીએ અર્થતંત્રના મહત્વના પાસાઓ.

Advertisement

Impact of US-Iran War on India: કાચા તેલના ભાવમાં ભડકો

મધ્ય-પૂર્વ એ વિશ્વનું મુખ્ય તેલ ઉત્પાદક ક્ષેત્ર છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ (Crude Oil) આયાત કરે છે. અમેરિકાના દબાણ હેઠળ ભારતે તાજેતરમાં રશિયાને બદલે સાઉદી અરેબિયા પાસેથી તેલની ખરીદી વધારી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સપ્લાય ચેઈન ખોરવાઈ જશે. નિષ્ણાતોના મતે, કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $100 ને પાર કરી શકે છે, જે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી શકે છે.

Advertisement

શેરબજાર પર મંદીના વાદળો

વૈશ્વિક અસ્થિરતાની સૌથી પહેલી અસર શેરબજાર (Stock Market) પર જોવા મળે છે. શુક્રવારે પણ બજારમાં ગાબડું જોવા મળ્યું હતું. સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે યુએસ-ઈરાન યુદ્ધના દબાણ હેઠળ તે વધુ નીચે જવાની શક્યતા છે. રોકાણકારોમાં ફેલાયેલી અનિશ્ચિતતા સ્થાનિક શેરબજારને નકારાત્મક રીતે પ્રભાવિત કરશે.

સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચશે

જ્યારે શેરબજાર અસ્થિર બને છે, ત્યારે રોકાણકારો સોના (Gold) અને ચાંદી (Silver) જેવા સુરક્ષિત રોકાણ (Safe Haven Assets) તરફ વળે છે. માંગ વધવાને કારણે ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. બજારના જાણકારોનું માનવું છે કે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ₹1,70,000 અને ચાંદી કિલો દીઠ ₹3,00,000 ના સ્તરને સ્પર્શી શકે છે.

બાસમતી ચોખાની નિકાસને ફટકો

ભારત મોટા પાયે ઈરાન અને મધ્ય-પૂર્વના દેશોમાં બાસમતી ચોખાની (Basmati Rice) નિકાસ કરે છે. યુદ્ધની સ્થિતિમાં નિકાસના ઓર્ડર અને લોજિસ્ટિક્સ ખોરવાઈ શકે છે, જે ભારતીય નિકાસકારો અને ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.

રૂપિયો નબળો પડશે અને ડોલર મજબૂત થશે

તેલના ભાવ વધતા ડોલરની (US Dollar) માંગમાં જબરદસ્ત ઉછાળો આવશે. યુદ્ધના સમયમાં વિશ્વભરમાં ડોલર સૌથી મજબૂત ચલણ તરીકે ઉભરી આવે છે. તેના પરિણામે ભારતીય રૂપિયો (Indian Rupee) ડોલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી શકે છે, જે આયાતને વધુ મોંઘી બનાવશે.

આ પણ વાંચો:  Iran-Israel War: ખામેનીના મોત બાદ અમેરિકાનો UNમાં સનસનીખેજ ખુલાસો

Tags :
Advertisement

.

×