અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગની માગ પર ઉપરાષ્ટ્રપતિ ધનખડનું નિવેદન
- 55 સાંસદોએ અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગની માગ કરી
- જગદીપ ધનખડે આ નોટિસ મુદ્દે SCના મહાસચિવ દ્વારા નિર્ણય કરવા જણાવ્યું
- ધનખડે જણાવ્યું કે આ મામલે સંસદ અને રાષ્ટ્રપતિનો અધિકારક્ષેત્ર છે
નવી દિલ્હી: અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ લાવવાની માગ સાથે રાજ્યસભાના 55 સાંસદોએ નોટિસ આપી છે. આ નોટિસ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને આપવામાં આવી હતી. ધનખડે જણાવ્યું કે આ મામલે સંસદ અને રાષ્ટ્રપતિનો અધિકારક્ષેત્ર છે અને તેમણે આ નોટિસને સુપ્રીમ કોર્ટના મહાસચિવ સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે.
ન્યાયાધીશ યાદવને પદ પરથી દૂર કરવા માગ
આ સૂચનામાં ન્યાયાધીશ યાદવને પદ પરથી દૂર કરવાની માગ કરવામાં આવી છે. 55 સાંસદોના હસ્તાક્ષર સાથેની આ નોટિસ 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રાપ્ત થઈ હતી. સાંસદોમાં કપિલ સિબ્બલ, દિગ્વિજય સિંહ, પી. વિલ્સન, જોન બ્રિટાસ અને કે.ટી.એસ. તુલસી જેવા નેતાઓ સામેલ છે.
ન્યાયાધીશ યાદવ વિરુદ્ધ આ પગલું તેમના દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે લેવામાં આવ્યું છે. વિશ્વ હિંદુ પરિષદની લિગલ સેલના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું, જે બાદમાં વિવાદનું કારણ બન્યું. કૉંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી હતી, પરંતુ તેમને મંજૂરી મળી નહોતી.
ધનખડે જણાવ્યું કે આ મામલે સંસદ અને રાષ્ટ્રપતિનો અધિકારક્ષેત્ર છે અને તેમણે આ સૂચનાને સુપ્રીમ કોર્ટના મહાસચિવ સાથે શેર કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી હવે સૌની નજર છે કે સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભા આ મામલે આગળ શું પગલાં લે છે.
આ પણ વાંચો: દલાઈ લામા અને સંબિત પાત્રાની સુરક્ષામાં વધારો, કેન્દ્ર સરકારે Z કેટેગરીની સુરક્ષા આપી