India Air Strikes : ભારતે પાકિસ્તાનના આ 9 સ્થળોનો નાશ કર્યો,મસ્જિદોમાંથી થઈ આ જાહેરાત
India Air Strikes: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી Operation Sindoo હુમલા બાદ,આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો, દરેક ભારતીય પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો હતો. ભારત સતત બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું, હુમલાના થોડા દિવસો પછી,સેનાને છૂટ આપવામાં આવી હતી અને બદલો લેવાની યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી.આજે એટલે કે 7 મેના રોજ સવારે 2 વાગ્યે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ(India Air Strikes) હુમલો કર્યો છે.આ હુમલા બાદથી,મસ્જિદોમાંથી લોકોને પોતાના ઘર છોડી જાહેરાતો કરવામાં આવી રહી છે.
મસ્જિદો દ્વારા લોકોને ઘર છોડીને સલામત સ્થળોએ પહોંચવા અપીલ કરી
ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલા બાદ પાકિસ્તાનની મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી છે. આખા પાકિસ્તાનમાં આતંકનો માહોલ છે. મસ્જિદો દ્વારા લોકોને ઘર છોડીને સલામત સ્થળોએ પહોંચવા અપીલ કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન કોઈએ ઘરમાં હાજર રહેવું જોઈએ નહીં. લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે, મસ્જિદોમાંથી જાહેરાતો થઈ રહી છે કે લોકોએ પોતાના ઘર છોડી દેવા જોઈએ, સરકાર દ્વારા તેમને આ સંદેશ જનતા સુધી પહોંચાડવા કહેવામાં આવ્યું છે.
Announcement from Mosques in Pakistan after India targets terror infrastructure inside Pakistan. Panic grips across Pakistan. Development situation. pic.twitter.com/9uT0kOIt18
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 6, 2025
આ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી
ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેમજ બહાવલપુર,કોટલી અને મુઝફ્ફરાબાદના સ્થળોને નિશાન બનાવ્યા છે. આ એ ઠેકાણા છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે ભારત મહિલાઓ અને બાળકો પર ગોળીબાર કરી રહ્યું છે. મસ્જિદોનો નાશ કરવામાં આવ્યો છે.
Operation Sindoor LIVE । જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય કાર્યાલય ધ્વસ્ત। Gujarat First@adgpi @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD #OperationSindoor #IndiaStrikesTerrorCamps #Pakistan #POK #Gujaratfirst pic.twitter.com/cPyLfkO4kl
— Gujarat First (@GujaratFirst) May 6, 2025
આ પણ વાંચો -Operation Sindoor : ભારતની એરસ્ટ્રાઈક તમીતમી ઉઠયા પાક PM શું બોલ્યા?
ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હચમચી ગયું છે. ભારત સરકાર, સંરક્ષણ મંત્રાલય અને ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર અંગે વિશ્વને સંદેશ આપવા માટે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. ભારતની કાર્યવાહી આતંકવાદ વિરુદ્ધ છે.
આ પણ વાંચો -ભારતનાં 'OperationSindoor' અંગે શું કહે છે PAK મીડિયા ? જાણો
પાકિસ્તાનમાં અરાજકતા હતી
પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવી છે અને મુસાફરોને તાત્કાલિક ટર્મિનલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હુમલા બાદ, ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને કેટલાક વિમાનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હવાઈ હુમલા બાદથી સમગ્ર પાકિસ્તાન અને એરપોર્ટ પર અરાજકતાનો માહોલ છે. પાકિસ્તાનના લાહોર અને સિયાલકોટ એરપોર્ટ આગામી 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.