Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

New Immigration Rules 2026 : ભારતમાં વિદેશી નાગરિકો માટે નવા ઈમિગ્રેશન નિયમો 2026 જાહેર, જાણો સંપૂર્ણ માહિતી

New Immigration Rules 2026 : ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિદેશી નાગરિકો માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.'ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, 2025' (Immigration and Foreigners Rules, 2025) હેઠળ લાગુ કરાયેલા આ નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વિદેશીઓની અવરજવર અને તેમની હાજરી પર વધુ સચોટ દેખરેખ રાખવાનો છે.
new immigration rules 2026   ભારતમાં વિદેશી નાગરિકો માટે નવા ઈમિગ્રેશન નિયમો 2026 જાહેર  જાણો સંપૂર્ણ માહિતી
Advertisement

New Immigration Rules 2026 : ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs - MHA) દ્વારા વિદેશી નાગરિકો (Foreign Nationals) માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. 'ઇમિગ્રેશન અને વિદેશી નિયમો, 2025' (Immigration and Foreigners Rules, 2025) હેઠળ લાગુ કરાયેલા આ નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વિદેશીઓની અવરજવર અને તેમની હાજરી પર વધુ સચોટ દેખરેખ રાખવાનો છે. જેનાથી ભારતની સુરક્ષામાં વધારો થાય અને ઘુસણખોરીને રોકી શકાય તે માટે આ પગલુ લેવામાં આવ્યું છે.

New Immigration Rules 2026 : વિઝા એક્સટેન્શનના નવા નિયમો

નવી સૂચના G.S.R. 424(E) મુજબ, જે વિદેશી મુસાફરો 180 દિવસ કે તેથી ઓછા સમય માટે વિઝા (Visa) પર ભારતમાં આવે છે અને જો તેઓ નિર્ધારિત સમયગાળા પછી પણ રોકાવા માંગતા હોય, તો તેમણે હવે વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં જ ફરજિયાતપણે નોંધણી (Registration) કરાવવી પડશે. અગાઉ, 180 દિવસના રોકાણ પછી 14 દિવસ સુધીની વધારાની છૂટ મળતી હતી, પરંતુ નવા નિયમ હેઠળ આ જોગવાઈ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. હવે માત્ર ચોક્કસ કટોકટીની સ્થિતિમાં જ મોડી નોંધણી સ્વીકારવામાં આવશે.

Advertisement

બાળકોની નાગરિકતા અને ઓનલાઈન અપીલ

વિદેશ મંત્રાલયે ભારતીય માતાપિતાના બાળકોની બાબતમાં પણ નિયમો સ્પષ્ટ કર્યા છે. જો કોઈ બાળક ભારતમાં રહેવા દરમિયાન અન્ય દેશની નાગરિકતા (Foreign Citizenship) મેળવે છે, તો માતાપિતાએ 30 દિવસની અંદર સ્થાનિક નોંધણી અધિકારી (Registration Officer) ને જાણ કરવી અનિવાર્ય છે. વહીવટી સરળતા માટે, હવે તમામ પ્રકારની અપીલ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન (Online Portal) કરી દેવામાં આવી છે, જેનાથી ભ્રષ્ટાચાર અને વિલંબમાં ઘટાડો થશે.

Advertisement

આ પણ વાંચો : Delhi News : મુકુંદપુરમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન ધરાશાયી, અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા

Tags :
Advertisement

.

×