ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

india pakistan war : પાકિસ્તાનની કરોડરજ્જું જ તોડી પાડી, ભારતે AWACS સિસ્ટમ તોડી નાખી

ભારતે પાકિસ્તાનના AWACSના તોડી પાડ્યું ભારતે પાકિસ્તાનના જાસૂસી ડ્રોનને નષ્ટ કર્યું Operation Sindoor : ભારતે પાકિસ્તાન પર બદલો લેવાના હુમલા શરૂ કર્યા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કર્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના...
12:06 AM May 09, 2025 IST | Hiren Dave
ભારતે પાકિસ્તાનના AWACSના તોડી પાડ્યું ભારતે પાકિસ્તાનના જાસૂસી ડ્રોનને નષ્ટ કર્યું Operation Sindoor : ભારતે પાકિસ્તાન પર બદલો લેવાના હુમલા શરૂ કર્યા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કર્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના...
Operation Sindoor 2

Operation Sindoor : ભારતે પાકિસ્તાન પર બદલો લેવાના હુમલા શરૂ કર્યા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કર્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં કરવામાં આવેલા હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાનના શહેરો પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. તેના બદલામાં, ભારતે લાહોરમાં સ્થિત પાકિસ્તાનના AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) ને તોડી પાડ્યું છે. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાનના ફૈસલાબાદ, સરગોધા, મુલતાન અને સિયાલકોટ શહેરોમાં સંરક્ષણ પ્રણાલીનો પણ નાશ કર્યો છે.

પાકિસ્તાનના તમામ મિસાઇલ હુમલા નિષ્ફળ ગયા

અગાઉ, ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના કુલ 3 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા. ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની ફાઇટર જેટમાં બે JF-17 અને એક F-16નો સમાવેશ થાય છે. ગુરુવારે અંધારું થતાં જ પાકિસ્તાને સરહદ નજીક ભારતના વિવિધ શહેરોમાં 100 થી વધુ મિસાઇલો છોડી હતી. પાકિસ્તાને ફક્ત રાજસ્થાનના જેસલમેરમાં જ 70 થી વધુ મિસાઇલ હુમલા કર્યા હતા. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનની બધી મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી. તમને જણાવી દઈએ કે ભારતની બધી સંરક્ષણ પ્રણાલીઓ આ સમયે પાકિસ્તાનના દરેક નાપાક ઈરાદાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્રિય છે અને પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે.

ભારત યોગ્ય જવાબ આપશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, નવી દિલ્હીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. પીએમ મોદી, એનએસએ ડોભાલ આ સમગ્ર કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે અને દરેક ક્ષણે રિપોર્ટ લઈ રહ્યા છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે યુરોપિયન યુનિયન સાથે આ સમગ્ર બાબતની ચર્ચા કરી છે. વિદેશ પ્રધાને યુરોપિયન યુનિયનને કહ્યું કે ભારત કોઈપણ ઉશ્કેરણીનો યોગ્ય જવાબ આપશે.

Tags :
AWACS aircraftAWACS Systemindia destroyed pakistan air force awacs systemIndia Pakistan WarPakistan AWACS System
Next Article