ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

india pakistan war: ભારતે પાકિસ્તાનના 2 જેટ પાયલોટને પકડ્યા, ચારે બાજુથી આક્રમણ

આખરે ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો ભારતે પાકિસ્તાન પર એક સાથે 100 મિસાઇલો છોડી પકડાયેલો પાકિસ્તાની પાયલટ JF17નો છે india pakistan war :આખરે ભારતે પાકિસ્તાનને (india pakistan war)જોરદાર જવાબ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાન...
11:41 PM May 08, 2025 IST | Hiren Dave
આખરે ભારતે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો ભારતે પાકિસ્તાન પર એક સાથે 100 મિસાઇલો છોડી પકડાયેલો પાકિસ્તાની પાયલટ JF17નો છે india pakistan war :આખરે ભારતે પાકિસ્તાનને (india pakistan war)જોરદાર જવાબ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાન...
Pakistan Aircraft

india pakistan war :આખરે ભારતે પાકિસ્તાનને (india pakistan war)જોરદાર જવાબ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાન પર એક સાથે 100 મિસાઇલો છોડી છે. અગાઉ, પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારત પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું, જોકે ભારતીય સેનાએ તેમને હવામાં જ નષ્ટ કરી દીધા હતા અને તેના ઘણા લડાકુ વિમાનોનો પણ નાશ કર્યો હતો. એટલું જ નહીં, ભારતે તેના એક પાયલટને પણ પકડી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલો (Pakistan Aircraft)પાકિસ્તાની પાયલટ JF17નો છે.

પાકિસ્તાનના 4 ફાઇટર જેટને પણ તોડી પાડવામાં આવ્યા

ગુરુવારે મોડી રાત્રે, પાકિસ્તાને બોમ્બ વિસ્ફોટ કરીને અનેક ભારતીય સ્થળોએ આતંક મચાવ્યો. જોકે, ભારતીય સૈનિકોએ તેના દ્વારા છોડવામાં આવેલા મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા. ઉપરાંત, પાકિસ્તાનના 4 ફાઇટર જેટને પણ તોડી પાડવામાં આવ્યા છે. ભારતે તોડી પાડેલા ચાર પાકિસ્તાની જેટ વિમાનોમાંથી બે પાયલટને પકડ્યા છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનની ઘણી મિસાઇલો અને ડ્રોનને પણ હવામાં તોડી પાડ્યા છે.

આ પણ  વાંચો - India Pakistan War : પંજાબ-દિલ્હીની IPL મેચ રદ, પાકિસ્તાનના હુમલા બાદ નિર્ણય

ભારતીય નૌકાદળે યુદ્ધભૂમિમાં INS વિક્રાંતને પણ તૈનાત કર્યું

પાકિસ્તાનના આ નાપાક કૃત્ય બાદ, ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાન સામે મોરચો ખોલી દીધો છે અને તેના મહત્વપૂર્ણ શહેરોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત લાહોર, કરાચી જેવા મુખ્ય શહેરો પર હુમલો શરૂ કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય નૌકાદળે યુદ્ધભૂમિમાં INS વિક્રાંતને પણ તૈનાત કર્યું છે.

આ પણ  વાંચો - Operation Sindoor : ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, લાહોર અને સિયાલકોટ પર મિસાઈલ હુમલો

ફરી એકવાર પાકિસ્તાનને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો

અગાઉ, 7 મેની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યું હતું. કદાચ એટલા માટે જ આજે સાંજે પાકિસ્તાની સેનાએ ફરી ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ફરી એકવાર પાકિસ્તાનને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો.

Tags :
fighter jetGujarat FirstIndiaOperation SindoorPakistanPakistan Aircraftpakistani aircraftspakistani jetpakistani pilots arrestedpakistani pilots in indias custodyPilotswar
Next Article