ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

india Pakistan War: જેસલમેર, ફલોદીમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલો

પાકિસ્તાનની નાપાક લશ્કરી પ્રવૃત્તિઓ વધી પાકિસ્તાન દ્વારા જેસલમેર અને ફલોદીમાં ડ્રોન હુમલો ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યુ india Pakistan War: પાકિસ્તાનની નાપાક લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે. ફરી તેણે રાજસ્થાનમાં ડ્રોન હુમલો કર્યો. પાકિસ્તાન દ્વારા રાત્રે જેસલમેર અને ફલોદીમાં...
10:21 PM May 09, 2025 IST | Hiren Dave
પાકિસ્તાનની નાપાક લશ્કરી પ્રવૃત્તિઓ વધી પાકિસ્તાન દ્વારા જેસલમેર અને ફલોદીમાં ડ્રોન હુમલો ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યુ india Pakistan War: પાકિસ્તાનની નાપાક લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે. ફરી તેણે રાજસ્થાનમાં ડ્રોન હુમલો કર્યો. પાકિસ્તાન દ્વારા રાત્રે જેસલમેર અને ફલોદીમાં...
IndiaPakistanWar

india Pakistan War: પાકિસ્તાનની નાપાક લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે. ફરી તેણે રાજસ્થાનમાં ડ્રોન હુમલો કર્યો. પાકિસ્તાન દ્વારા રાત્રે જેસલમેર અને ફલોદીમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યુ હતુ. અહીં સાયરન વાગતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો પોખરણ અને બાડમેરમાં પણ પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો.

પાકિસ્તાનના નિષ્ફળ હુમલાઓ

પાકિસ્તાને ફલોદીમાં 10 સ્થળોએ અને પોખરણમાં 5 સ્થળોએ ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને તોડી પાડવામાં આવ્યા હતા. બાડમેરમાં 100 થી વધુ ડ્રોન આકાશમાં ફરતા જોવા મળ્યા હતા. તેથી અહીં પણ ડ્રોન હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સમયસર કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ શ્રી ગંગાનગર જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો -India-Pakistan War: યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય સેના પાકિસ્તાનને આપી રહ્યા છે વળતો જવાબ

સરહદ પારથી ફરી એકવાર યુદ્ધવિરામ

સરહદ પારથી પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામ ભંગની નવી ઘટનાઓ સામે આવી છે. શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સરહદ પારથી ગોળીબાર થયો છે. મળતી માહિતી મુજબ, ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર શરૂ થયો છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.(India-Pakistan War) આ પછી, પૂંછ અને કુપવાડા સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદ પારથી મોર્ટાર છોડવામાં આવ્યા છે. નૌગામ હંદવાડા સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

 

Tags :
DroneAttackIndia Pakistan WarJaisalmerPakistanPakistanIsATerrorStatePhalodi
Next Article