Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રતન ટાટાની અંતિમ વિદાયમાં જોવા મળી ભારતની એકતા, સર્વે ધર્મોના ગુરુઓએ આપી અશ્રુભરી વિદાય

રતન ટાટાની પ્રાર્થના સભામાં જોવા મળી ભારતની એકતા તમામ ધર્મના ગુરુઓએ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી હૃદયસ્પર્શી વીડિયો વાયરલ Ratan Tata funeral News : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) નું નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં...
રતન ટાટાની અંતિમ વિદાયમાં જોવા મળી ભારતની એકતા  સર્વે ધર્મોના ગુરુઓએ આપી અશ્રુભરી વિદાય
Advertisement
  • રતન ટાટાની પ્રાર્થના સભામાં જોવા મળી ભારતની એકતા
  • તમામ ધર્મના ગુરુઓએ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી
  • હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

Ratan Tata funeral News : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) નું નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બુધવારે રાત્રે 11:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તિરંગામાં લપેટાયેલા તેમના પાર્થિવ દેહને નરીમન પોઈન્ટ ખાતે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (NCPA)ના લૉનમાં લોકોના દર્શન માટે રાખવામાં આવ્યા. શ્રદ્ધાંજલિ પછી, તેમના અંતિમ સંસ્કાર વરલી સ્મશાન ગૃહમાં ગુરુવારે સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યા હતા. અહીં લોકોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

હૃદયસ્પર્શી વીડિયો વાયરલ

આ દરમિયાન સાચા ભારતની ઝલક જોવા મળી હતી. રતન ટાટાની પ્રાર્થના સભામાં પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને હિન્દુ ધર્મના ગુરુઓ પ્રાર્થના વાંચવા માટે ભેગા થયા હતા. આ હૃદયસ્પર્શી મીટિંગનો વીડિયો ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો રતન ટાટાને સમગ્ર ભારત માટે પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે. રતન ટાટાની પ્રાર્થના સભામાં તમામ ધર્મોના પૂજારીઓની હાજરી પર લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “સારા વ્યક્તિ બનવું એ સૌથી મોટો ધર્મ છે. માનવતા એ ધર્મનું નામ છે જેને દરેક ધર્મના લોકો માન આપે છે. અન્ય યુઝરે કહ્યું, "અમે એક રત્ન ગુમાવ્યું." અન્ય એક યુઝરે કહ્યું, “તે બધાને સાથે લાવ્યા. તેમના આત્માને શાંતિ મળે."

Advertisement

Advertisement

પારસી રિવાજો મુજબ અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે

ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટા પારસી હતા પરંતુ તેમના અંતિમ સંસ્કાર પારસી રિવાજો મુજબ કરવામાં આવશે નહીં. તેના બદલે, રતન ટાટાના અંતિમ સંસ્કાર વર્લીના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. જણાવી દઈએ કે પારસીઓના અંતિમ સંસ્કારના રિવાજો તદ્દન અલગ છે. જેમ હિંદુ ધર્મમાં મૃતદેહને બાળવામાં આવે છે તેમ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં મૃતદેહને દફનાવવામાં આવે છે. પરંતુ, પારસીઓમાં, મૃતદેહને આકાશમાં સોંપવામાં આવે છે અને સૂર્યના કિરણોની વચ્ચે ટાવર ઓફ સાયલન્સ (દખ્મા) પર મૂકવામાં આવે છે, ત્યારબાદ ગીધ આવીને મૃત શરીરને ખાય છે. ગીધનું મૃતદેહ ખાવું એ પણ પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે. પારસી લોકોમાં, અંતિમ સંસ્કારની આ પ્રક્રિયાને દોખ્મેનાશિની કહેવામાં આવે છે.

આ પણ વાંચો:  દેશના રતનને અંતિમ TATA! અંતિમ યાત્રામાં જોવા મળી ભારે ભીડ

Tags :
Advertisement

.

×