ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

J & K : પાકિસ્તાનની કાળી કરતૂત, આતંકવાદીઓને બચાવવા કરી રહ્યું છે કવર ફાયર

શનિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રીજા આતંકીને પાકિસ્તાની ચોકી પાસે માર્યો ગયો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાએ ત્રીજા આતંકીને...
08:40 PM Sep 16, 2023 IST | Hiren Dave
શનિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રીજા આતંકીને પાકિસ્તાની ચોકી પાસે માર્યો ગયો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાએ ત્રીજા આતંકીને...

શનિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ત્રીજા આતંકીને પાકિસ્તાની ચોકી પાસે માર્યો ગયો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાએ ત્રીજા આતંકીને ભાગવા માટે કવરફાયર આપ્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાન તરફથી પણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો દ્વારા અહીં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશન ઉત્તર કાશ્મીર જિલ્લાના ઉરી સેક્ટરમાં કરવામાં આવ્યું હતું.

 

આર્મીના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશનમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં આજે સવારે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે 3 આતંકવાદીઓએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને સતર્ક સૈનિકોએ તેમનો સામનો કર્યો હતો.

 

પાકિસ્તાની સેનાએ ત્રીજા આતંકીને કવરફાયર આપ્યો હતો

જો કે બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે, પરંતુ આસપાસના વિસ્તારમાં પાકિસ્તાની ચોકી પરથી ગોળીબારના કારણે ત્રીજા આતંકીના મૃતદેહને રિકવર કરવામાં અવરોધ આવી રહ્યો છે. સેનાએ કહ્યું, ઓપરેશન ચાલુ છે. તે જ સમયે, પોલીસે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા સંગઠન સાથે સંબંધ ધરાવે છે તે જાણી શકાયું નથી.

 

આતંકવાદીઓના કબજામાંથી શું મળ્યું?

161 પીસી કમાન્ડર પીએમએસ ધિલ્લોને કહ્યું કે આ ઓપરેશન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ઈન્ટેલિજન્સ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. આતંકીઓના કબજામાંથી એક AK-47, એક AK-74, એક ચાઈનીઝ પિસ્તોલ તેમજ પાકિસ્તાની અને ભારતીય ચલણ મળી આવ્યા છે. એટલું જ નહીં, આતંકવાદીના મૃતદેહ સાથે 5 કિલો આરડીએક્સ પણ મળી આવ્યું હતું.

 

અનંતનાગમાં પણ એક આતંકવાદી માર્યો ગયો

ઘૂસણખોરીનો પ્રયાસ અને ત્યારપછીની અથડામણ એવા સમયે થઈ જ્યારે અનંતનાગ જિલ્લાના પહાડી વિસ્તારમાં જંગલ વિસ્તાર પર કબજો જમાવનાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું હતું. શનિવારે એન્કાઉન્ટરનો ચોથો દિવસ છે. સુરક્ષા દળોએ કોકરનાગની પહાડીઓમાં છુપાયેલા એક આતંકવાદીને ઠાર માર્યો છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે ડ્રોનથી બોમ્બ છોડવામાં આવી રહ્યા છે. અહીં સતત ગોળીબાર ચાલુ છે.

આ  પણ   વાંચો -આવનારા 3 દિવસ ભારતના રાજકારણ માટે અગત્યના..વાંચો, કેમ 

 

Tags :
AnantnagbarmoolaFiringIndian-ArmyJammu-KashmirPakistanterrorists
Next Article