Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mumbai: પાર્શ્વનાથ દિગંબર મંદિર તોડવાને લઈને જૈન સમુદાય નારાજ, આજે રેલી કાઢશે

મુંબઈના વિલે પાર્લેના કાંબલીવાડીમાં સ્થિત 35 વર્ષ જૂનું પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આજે જૈન સમુદાય દ્વારા મંદિર તોડી પાડવાના વિરોધમાં અહિંસક રેલી કાઢવામાં આવશે.
mumbai  પાર્શ્વનાથ દિગંબર મંદિર તોડવાને લઈને જૈન સમુદાય નારાજ  આજે રેલી કાઢશે
Advertisement
  • BMC એ 35 વર્ષ જૂનું જૈન મંદિર તોડી પાડ્યુ
  • મંદિર તોડવાને લઈને જૈન સમુદાય નારાજ
  • જૈન સમુદાય અહિંસક રેલી કાઢશે

Jain temple demolished: મુંબઈના વિલે પાર્લેના કાંબલીવાડીમાં સ્થિત 35 વર્ષ જૂનું પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર બુધવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી દેશભરમાં જૈન સમુદાય ગુસ્સે છે. મંદિર તોડી પાડવાના વિરોધમાં શનિવારે અહિંસક રેલી કાઢવામાં આવશે. આ રેલીમાં મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્ય પરાગ અલવાણી અને જૈન સમુદાયના સંતો ભાગ લેશે.

BMCની કાર્યવાહી બાદ જૈન સમુદાયમાં રોષ

બીએમસી (BMC) દ્વારા આ મંદિર તોડી પાડવામાં આવ્યા બાદ, આજે તમામ પક્ષોના નેતાઓ આ કાર્યવાહી સામે કૂચ કાઢશે. આગળ શું કરવું તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. બીએમસીની કાર્યવાહી બાદ જૈન સમુદાયમાં ભારે રોષ છે. આ કેસમાં દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Advertisement

BMC એ જૈન સમુદાયને નોટિસ ફટકારી હતી

મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે. બીએમસીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, ત્યારબાદ તેની જવાબદારી હાલમાં સરકારની છે. મંદિર તોડી પાડવા અંગે BMC એ મેનેજમેન્ટ કમિટીને નોટિસ ફટકારી હતી. આની સામે જૈન સમુદાયે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી ગુરુવારે થવાની હતી, પરંતુ તે પહેલાં બુધવારે BMC ટીમે મંદિર તોડી પાડ્યું.

Advertisement

આ પણ વાંચો : Bihar : 'તે અમારો નાનો ભાઈ છે...', તેજસ્વી યાદવ સંબંઘિત સવાલ પર બાલ્યા CM નીતિશ કુમારના પુત્ર

મંદિરના ટ્રસ્ટીએ શું કહ્યું?

જૈન સમુદાય વતી કહેવામાં આવ્યું છે કે કોર્ટના નિર્ણય પછી BMC પ્રશાસને કાર્યવાહી કરવી જોઈતી હતી. મંદિરના ટ્રસ્ટી અનિલ શાહે કહ્યું કે BMC એ કોર્ટના નિર્ણયની રાહ જોઈ નથી. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે BMC જાણતી હતી કે અમે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે, તેમ છતા BMC વહીવટીતંત્રે મંદિર તોડી પાડ્યું.

વિરોધ પ્રદર્શન પહેલા જૈન બંધુઓએ આરતી કરી

મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે અમે અધિકારીઓને કોર્ટના નિર્ણય સુધી રાહ જોવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં. અનિલ શાહે કહ્યું કે જૈન ભાઈઓ આજે મંદિર તોડી પાડવા સામે અહિંસક વિરોધ કરશે. તમને જણાવી દઈએ કે આ વિરોધ પહેલા જૈન ભાઈઓએ તે મંદિરમાં આરતી કરી હતી જ્યાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત જૈન બંધુઓએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે આ મંદિર કોના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  Karnataka માં ભૂતપૂર્વ અંડરવર્લ્ડ ડોન મુથપ્પા રાયના પુત્ર પર જીવલેણ હુમલો

Tags :
Advertisement

.

×