Jaipur : પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારીઓ અને વાહનો લીધા અડફેટે, એક વ્યક્તિનું મોત, 15 ઈજાગ્રસ્ત
- Jaipur : પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારીઓ લીધા અડફેટે
- કાર ચાલકે 16 લોકોને અડફેટે લીધા, 1નું મોત
- ટોળાએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપ્યા
Jaipur : દેશમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત રાજસ્થાનના જયપુરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જયપુરમાં પૂરપાટ ઝડપે આવતી ઓડી કારે 16 લોકોને ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. તેમજ 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે જયપુરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 4 લોકોને જયપુરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શુક્રવારે રાત્રે પત્રકાર કોલોનીમાં ખારાબાસ સર્કલ પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતાં, મુહાના અને પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા. મોડી રાત્રે, આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસાર, ધારાસભ્ય ગોપાલ શર્મા અને અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઈજાગ્રસ્તોની પૂછપરછ કરવા માટે જયપુરિયા હોસ્પિટલમાં પહોંચ્યા.
#WATCH | Rajasthan | Hit-and-run incident reported in Jaipur
South Jaipur DCP Rajshree Raj Verma says, "A car ran over some stalls at Kharbas Circle. One casualty has been reported so far and as per our information, 11 are injured. As per the latest feedback, no one is critical.… pic.twitter.com/Fe7DnIxx6L
— ANI (@ANI) January 9, 2026
Jaipur : ઓડી કાર રસ્તાની ગાડીઓ સાથે અથડાઈ
વાસ્તવિકતામાં જયપુરના પત્રકાર કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ ઓડી કાર રસ્તાની બાજુમાં ગાડીઓ સાથે અથડાઈ હતી. તેમજ હયાત હોટેલ નજીક ખારાબાસ સર્કલ નજીક આ અકસ્માત થયો. અકસ્માત થયો ત્યારે લોકો શેરીના સ્ટોલ પર જમતા હતા. વાહને લગભગ 16 લોકોને ટકકર મારી હતી. આ અકસ્માતમાં રમેશ નામના એક વ્યક્તિનું મોત થયુ હોવાની પુષ્ટિ થઈ છે.
ટોળાએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો
અકસ્માત બાદ, ટોળાએ કાર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો. પત્રકાર પોલીસ સ્ટેશને કાર જપ્ત કરી લીધી છે. ઓડી કારનો નંબર દિલ્હી હોવાનું કહેવાય છે અને તે હરે કૃષ્ણ મિશનના નામે નોંધાયેલ છે. એવું કહેવાય છે કે અકસ્માત સમયે કારમાં ત્રણ લોકો હતા, જે બધા નશામાં હતા. કાર ટક્કર થતાં ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી. લોકો આશ્રય માટે દોડ્યા હતા, બાદમાં ઘાયલોની સંભાળ લીધી હતી. કાર નજીકના વાહનોને પણ પલટી ગઈ હતી.
આ પણ વાંચો ------- Budget session 2026: બજેટ સત્ર આ તારીખથી શરૂ થશે, મંત્રી કિરેન રિજિજુએ સત્તાવાર કરી જાહેરાત


