Jammu-Kashmir : આતંકીઓએ સેનાના વાહન પર ફાયરિંગ કર્યું, સેનાના જવાનોએ આપ્યો વળતો જવાબ
- જમ્મુ-કાશ્મીર: બટ્ટલ ગામમાં આતંકી હુમલો
- અખનૂર સેક્ટરમાં સેનાના વાહન પર ફાયરિંગ
- સેનાની ઝડપથી જવાબી કારવાઈ, આતંકી હુમલો નિષ્ફળ
- સવારે 7 વાગ્યે સેનાના વાહન પર આતંકવાદીઓનો હુમલો
- બટ્ટલ ગામમાં આતંકી હુમલાનો પ્રયાસ, સેનાનું સફળ પ્રતિસાદ
Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાંથી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અહીં બટ્ટલ ગામમાં એક સેનાના વાહન પર આતંકવાદીઓ (Terrorists) એ હુમલો કર્યો છે. આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, આતંકીઓએ સેનાના એક વાહન પર અચાનક ફાયરિંગ (Firing) શરૂ કર્યું. આ ફાયરિંગ આતંકીઓ દ્વારા અચાનક કરવામાં આવ્યું હોવા છતા સેનાના જવાનો વળતો જવાબ ઝડપી આપ્યો હતો. જેના કારણે આતંકીઓનો હુમલાનો પ્રયાસો નિષ્ફળ ગયો હતો.
આતંકવાદીઓની સંખ્યા 3 થી 4 હોવાની સંભાવના
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફાયરિંગ કરનારા આતંકવાદીઓની સંખ્યા 3 થી 4 હોવાનું કહેવાય છે, જેઓ હવે સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા હોઈ શકે છે. આ આતંકવાદી પ્રવૃતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમોએ સંયુક્ત રીતે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સોમવારે સવારે લગભગ 7 વાગે અચાનક હુમલો કરીને બેઠેલા 3 અજાણ્યા આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના અખનૂરના બતાલ ગામમાં શિવ મંદિર પાસે બની હતી. 32 ફિલ્ડ રેજિમેન્ટે વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
છેલ્લા એક વર્ષથી ઘૂસણખોરીના કારણે સુરક્ષા ખતરો
વળી, અમે તમને જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીરમાં 20 ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન, નિયંત્રણ રેખા (LOC) પર છેલ્લા એક વર્ષથી દેખરેખ સિસ્ટમને ચકમો આપીને ગુપ્ત માહિતીના અભાવ અને ઘૂસણખોરીની માહિતી મળી હતી. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. ગગનગીરમાં થયેલા હુમલામાં સ્થાનિક ડોક્ટર અને બિહારના બે મજૂરો સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગગનગીર હુમલાએ કાશ્મીરમાં સ્થાનિક યુવાનોની આતંકવાદી જૂથોમાં જોડાવાની "ગુપ્ત પ્રવૃત્તિ" વિશે ચિંતા વધારી દીધી છે.
સ્થાનિક યુવાનોના ઝડપી કટ્ટરપંથીકરણ અંગે ચિંતા
ઝેડ-મોર ટનલ કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા હુમલામાં બે આતંકવાદીઓ સામેલ હતા. તેમાંથી એકની ઓળખ દક્ષિણ કાશ્મીરના કુલગામના સ્થાનિક યુવક તરીકે કરવામાં આવી છે જે 2023માં આતંકવાદી જૂથમાં જોડાયો હતો, જ્યારે બીજો પાકિસ્તાનથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા અધિકારીઓએ સ્થાનિક યુવાનોના ઝડપી કટ્ટરપંથીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી અને આવા યુવાનોને ઓળખવા માટે વિસ્તૃત માહિતી આપનાર નેટવર્કની જરૂરિયાત પર ભાર મૂક્યો. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના નેતૃત્વમાં તાજેતરના ફેરફારોને ધ્યાનમાં રાખીને, સ્થાનિક યુવાનોને આતંકવાદમાં જોડાતા અટકાવવા માટે બાતમીદારોના નેટવર્કને વધારવા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Jammu-Kashmir માં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના, બિન-કાશ્મીરી પર કરાયો જીવલેણ હુમલો