Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Justice BR Gavai : દેશના 51મા ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ બી.આર.ગવઇ

જસ્ટિસ બી.આર.ગવઈ બનશે દેશના આગામી CJI દેશના 51મા ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ બી.આર.ગવઇ વર્તમાન CJIએ સૂચવ્યું જસ્ટિસ બી.આર.ગવઇનું નામ વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ થશે પૂર્ણ 14મી મેએ CJIપદે શપથ લઈ શકે છે જસ્ટિસ બી.આર.ગવઇ Justice BR Gavai: ભારતના...
justice br gavai   દેશના 51મા ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ બી આર ગવઇ
Advertisement
  • જસ્ટિસ બી.આર.ગવઈ બનશે દેશના આગામી CJI
  • દેશના 51મા ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ બી.આર.ગવઇ
  • વર્તમાન CJIએ સૂચવ્યું જસ્ટિસ બી.આર.ગવઇનું નામ
  • વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ થશે પૂર્ણ
  • 14મી મેએ CJIપદે શપથ લઈ શકે છે જસ્ટિસ બી.આર.ગવઇ

Justice BR Gavai: ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ બુધવારે (16એપ્રિલ2025) કેન્દ્રીય કાયદા મંત્રાલયને (Justice BR Gavai)જસ્ટિસ બીઆર ગવઈને આગામી સીજેઆઈ તરીકે Chief Justice of India નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. તેઓ 14 મે, 2025 ના રોજ દેશના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. વર્તમાન CJI સંજીવ ખન્ના 13મે ના રોજ નિવૃત્ત થશે.બીઆર ગવઈ અનુસૂચિત જાતિમાંથી આવનારા બીજા મુખ્ય ન્યાયાધીશ હશે,તેમના પહેલા CJI કેજી બાલકૃષ્ણન પણ અનુસૂચિત જાતિમાંથી હતા.

બીઆર ગવઈનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે.

જસ્ટિસ બીઆર ગવઈ પદ સંભાળ્યા પછી 6 મહિના માટે સીજેઆઈ રહેશે અને નવેમ્બર 2025 માં નિવૃત્ત થશે. જસ્ટિસ બીઆર ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેમણે ૧૯૮૫માં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે, તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બાદમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટના ન્યાયાધીશ બેરિસ્ટર રાજા ભોંસલે સાથે કામ કરતા હતા. બીઆર ગવઈએ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી. #SupremeCourt

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ભારતીય રેલવેની વધુ એક ભેટ, પેસેન્જર્સને ટ્રેનમાં મળશે ATM ની સુવિધા

બુલડોઝરની કાર્યવાહી પર પ્રશ્નો ઉભા થયા

બીઆર ગવઈને ૧૯૯૨માં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં મહારાષ્ટ્ર સરકારના સહાયક વકીલ અને સહાયક સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ૨૦૦૩માં હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ બન્યા હતા. બીઆર ગવઈ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા અને હવે તેઓ સીજેઆઈ બનવા જઈ રહ્યા છે. ગયા વર્ષે, બીઆર ગવઈએ બુલડોઝરની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈએ સોમવારે (૧૪ એપ્રિલ, ૨૦૨૫) ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર કહ્યું કે બંધારણની રચના માટે રાષ્ટ્ર હંમેશા તેમનો આભારી રહેશે. સુપ્રીમ કોર્ટ પરિસરમાં બોલતા, જસ્ટિસ ગવઈએ કહ્યું, "રાષ્ટ્ર હંમેશા ડૉ. આંબેડકરનો આભારી રહેશે કારણ કે તેમણે અને તેમના સાથીઓએ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. ભારત મજબૂત છે, પ્રગતિ કરી રહ્યું છે અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશોમાંનો એક છે. તેમની ફિલસૂફી, વિચારધારા અને દ્રષ્ટિકોણ જ આપણને એક અને મજબૂત રાખે છે.

Tags :
Advertisement

.

×