Pakistan ના એક પછી એક સૈન્ય ઠેકાણા તબાહ જોઈ લો, ભયાનક બરબાદી!
- જૈશના ટોપ કમાન્ડર હાફીઝ મહોમ્મદનો ખાત્મો
- મસૂદ અઝહરનો સંબંધી મહોમ્મદ અઝહર પણ ઠાર
- લશ્કર સંગઠનના મોટા 5 આતંકવાદીઓ ઠાર થયા
India-Pakistan War: ભારતીય સેનાએ OperationSindoor2 હેઠળ પાકિસ્તાનમાં (India-Pakistan Wa)આતંકવાદીઓના ઠેકાણાઓને(TerroristPakArmy) નષ્ટ કર્યા હતા. આ હુમલામાં ભારતીય સેનાએ પહલગામ હુમલાનો જવાબ આપતા આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો. સેનાના ઓપરેશન સિંદૂર હેઠળના હુમલામાં જૈશ અને લશ્કર સંગઠનના મોટા 5 આતંકવાદીઓ ઠાર થયા. 7મે ના રોજ ભારતના ઓપરેશન સિંદૂરમાં જૈશ અને લશ્કરના મોટા 5 આતંકવાદીઓ ઠાર થયા તેની યાદી સામે આવી છે.
જૈશ અને લશ્કરના મોટા 5 આતંકવાદીઓ ઠાર
- મુદ્સ્સર ખાદીયાન દાસ
- હાફીઝ મુહમ્મદ જમીલ
- મોહમ્મદ યુસુફ અઝહર
- ખાલિદ અબૂ અકાશા
- મોહમ્મદ હસન ખાન
મસૂદ અઝહરના સાળા હાફીઝ જમીલ પણ ઠાર થયો
ઓપરેશન સિંદૂરમાં કંધાર હાઈજેકના માસ્ટર માઈન્ડ આતંકી યુસુફ અને પાકિસ્તાની સેનાએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું તે લશ્કર સંગઠનના મોટા આતંકી મુદસ્સર ઠાર થયો. આ ઉપરાંત લશ્કરનો ઇન્ચાર્જ આતંકી અબુ ઝિંદાલ પણ ઢેર થયો. આ હુમલામાં આતંકવાદી જમીલ મરકઝ સુભાનલ્લાહ અને મસૂદ અઝહરના સાળા હાફીઝ જમીલ પણ ઠાર થયો. ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા તમામ 5 આતંકવાદીઓનો સંબંધ જૈશ અને લશ્કર આતંકી સંગઠન સાથે હતો. યુસુફ અઝહર IC-814 હાઇજેકિંગ કેસમાં વોન્ટેડ હતો અને હસન ખાન પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો.
પાકિસ્તાન આતંકવાદનો જન્મ દાતા
ઓપરેશન સિંદૂરમાં જૈશ અને લશ્કરના મોટા 5 આતંકવાદીઓ ઠાર થયા. આ આતંકવાદીઓએ ભારતમાં મોટી દુર્ઘટનાને અંજામ આપ્યો હતો. અને આવા આતંકીઓને પાકિસ્તાનની સેના દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું. એકબાજુ પાકિસ્તાન અમે આતંકવાદીઓને સમર્થન આપતા નથી તેવો દાવો કરવામાં આવે છે ત્યારે આવા આતંકીઓને સન્માન આપવાની તસવીરો સામે આવી છે તે સાબિત કરે છે કે પાકિસ્તાન જ આતંકવાદનો જન્મ દાતા છે.