Magh Mela : સંગમ નગરી પ્રયાગરાજમાં પ્રારંભ થયો માઘ મેળો, 30 લાખ ભક્તો પવિત્ર સ્નાન કરે તેવી શક્યતા
- Magh Mela : પ્રયાગરાજમાં આજથી પ્રારંભ થયો માઘ મેળો
- સંગમનગરીમાં પવિત્ર સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી
- ભક્તોની ભારે ભીડને ધ્યનામાં રાખી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
- દેખરેખ માટે 400 કેમેરા લગાવામાં આવ્યા
Magh Mela : ઉત્તર પ્રદેશા પ્રયાગરાજમાં આજથી માઘ મેળો 2026નો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ સ્નાનથી શરુ થતો આ મેળો 15 ફેબ્રુઆરી, મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. પોષ પૂર્ણિમાના દિવસે સવારે 4 વાગ્યાથી જ હજારો શ્રદ્ધાળુઓએ ત્રિવેણી નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. સંગમ નગરી તરીકે ઓળખાતા પ્રયાગરાજમાં સ્નાન કરવા જતા શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. મેળા દરમિયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ ત્રિવેણી નદીમાં સ્નાન કરે તેવી શક્યતા છે.
ભક્તોની ભારે ભીડ આવે તે ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી છે. મહાકુંભ મેળા દરમિયાન બનેલી દુર્ઘટનામાંથી શીખીને, મેળા વહીવટીતંત્રે આ વર્ષે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર સમગ્ર સંગમ વિસ્તાર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સિવિલ પોલીસ ઉપરાંત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS),સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (SSF)ને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. સ્નાન દરમિયાન કોઈ પણ અકસ્માત ન થાય તે માટે પાણીમાં વોટર ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેળા પર ડ્રોન મારફતે નજર રાખવામાં આવી છે. શુક્રવારે સાંજે પણ સંગમ વિસ્તારમાં પોલીસ દળોએ ફ્લેગ માર્ચ યોજી હતી.
#WATCH | Prayagraj, UP | People take a holy dip at Triveni Sangam on the occassion of Paush Purnima, the first 'snaan' and also the first day of Magh Mela 2026. pic.twitter.com/2pp72Zib9z
— ANI (@ANI) January 3, 2026
8 કિલોમીટર લાંબા સ્નાન ઘાટ(Magh Mela)
સંગમ કિનારાના વિસ્તારમાં 5,000 થી વધુ ધાર્મિક સંગઠનો અને સંતો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટે, 8 કિલોમીટર લાંબા સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ માટે કપડાં બદલવા માટે ઘાટ પર પૂરતા ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહા કુંભ મેળાની જેમ, સંગમ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા પર ખાસ નંબરો મૂકવામાં આવ્યા છે. જો કોઈ ભક્ત તેમના પરિવારથી અલગ થઈ જાય, તો તેઓ "લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર" પર જઈ શકે છે અને આ નંબરોનો ઉપયોગ કરીને તેમના સ્થાનની જાણ કરી શકે છે. માઘ મેળાના અધિકારી ઋષિ રાજના જણાવ્યા અનુસાર, ગંગા સ્નાન માટે "સ્વચ્છ અને અવિરત" પાણીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
અધિકારીઓએ (Magh Mela) ઘાટોની વ્યક્તિગત મુલાકાત લીધી છે અને શ્રદ્ધાળુઓ પાસેથી પ્રતિસાદ એકત્રિત કર્યો છે જેથી છેલ્લી ઘડીએ કોઈ ભૂલ ન થાય. માઘ મેળાના એસપી નીરજ પાંડેએ જણાવ્યું હતું કે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાને સુરક્ષિત રાખવા માટે 10,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કુલ 17 પોલીસ સ્ટેશન અને 42 પોલીસ ચોકીઓ બનાવવામાં આવી છે. ખાસ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી ટુકડી (ATS), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), BDS અને ગુપ્તચર એજન્સીઓ વિસ્તારના દરેક ઇંચ પર નજર રાખી રહી છે.
દેખરેખ માટે 400 કેમેરા લગાવામાં આવ્યા
વધુમાં, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે NDRF, SDRF, ફ્લડ કંપની, PAC અને ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા હેતુઓ માટે, સમગ્ર વિસ્તારમાં 400 થી વધુ CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 200 AI-આધારિત કેમેરાનો સમાવેશ થાય છે જે ભીડ અને ટ્રાફિક નિયંત્રણમાં મદદ કરશે. માઘ મેળા પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. 44 દિવસના માઘ મેળામાં 12 કરોડ-15 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે 16,650 શૌચાલય બનાવવામાં આવ્યા છે. વધુમાં, 3,300 સ્વચ્છતા કર્મચારીઓને 24 કલાક તૈનાત કરવામાં આવશે. અફવાઓ ફેલાવનારાઓ સામે સમયસર પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ મેળો શ્રદ્ધા, સલામતી, સ્વચ્છતા અને નવીનતાનું અનોખું મિશ્રણ રજૂ કરી રહ્યો છે.
આ પણ વાંચો: ભારતની જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે પત્ર લખ્યો, જાણો પત્રમાં શું લખ્યું?


