Maharashtra:CMના નિવાસસ્થાનમાં 'કાળો જાદુ'! એકનાથ શિંદે પર આરોપ,જાણો સમગ્ર મામલો
- મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ
- સંજય રાઉતે શિંદે પર લગાવ્યો મોટો આરોપ
- વર્ષા બંગલામાં કામાખ્યામાં તાંત્રિક પ્રવૃત્તિઓ કરી
Maharashtra:મહારાષ્ટ્રના રાજકારણમાં કાળો જાદુ ગરમાવો લાવી રહ્યો છે. કારણ એ છે કે સંજય રાઉતે વર્ષા બંગલા અંગે કાળા જાદુનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)) મંગળવારે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથે વર્ષા બંગલામાં કામાખ્યા માતા સંબંધિત તાંત્રિક પ્રવૃત્તિઓ કરી હતી.
શિંદે જૂથનો વળતો પ્રહાર
શિવસેના (શિંદે જૂથ) અને ભાજપે આ આરોપોને બનાવટી અને હાસ્યાસ્પદ ગણાવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, સંજય રાઉત પોતે કાળા જાદુમાં માને છે, તેથી જ તેઓ આવી વાતો કહી રહ્યા છે. તેમને પૂછો કે તેમણે કેટલી વાર આવી વિધિઓ જાતે કરી છે. તે જ સમયે, શિંદે જૂથના નેતા અને કેબિનેટ મંત્રી સંજય શિરસાટે રાઉત પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સંજય રાઉતે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તેઓ ખોટા આરોપો લગાવીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવા બેજવાબદાર નિવેદનો બદલ તેમની સામે અંધશ્રદ્ધા નાબૂદી કાયદા હેઠળ કેસ નોંધવો જોઈએ.
મુખ્યમંત્રી વર્ષા બંગલામાં કેમ નથી જતા?
સંજય રાઉતે વધુમાં કહ્યું કે આ માત્ર અફવા નથી પરંતુ વર્ષા બંગલોના કર્મચારીઓમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, હવે લીંબુ-મરચાં શિંદે જૂથે આનો જવાબ આપવો જોઈએ. તેના ઘણા લીંબુ સમ્રાટો છે, તેઓ કહેશે કે આ બધું સાચું છે કે ખોટું. દરમિયાન, યુબીટીના અન્ય નેતા ભાસ્કર જાધવે કહ્યું કે તેઓ કાળા જાદુમાં માનતા નથી પરંતુ જો સંજય રાઉતે એવું કહ્યું હોય તો તેમાં કંઈક સત્ય હોવું જોઈએ. આખરે ફડણવીસ વર્ષા બંગલામાં કેમ નથી જતા?
આ પણ વાંચો-Delhi Election : દિલ્લીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 70 બેઠક માટે 699 ઉમેદવાર મેદાને
સરકારી નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ રહ્યા નથી
આ દરમિયાન, શરદ પવારના પક્ષના નેતા જિતેન્દ્ર આહવાને પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શપથ લીધાને બે મહિના વીતી ગયા છે અને દેવેન્દ્ર ફડણવીસ નવીનીકરણના બહાને વર્ષા સરકારી નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ રહ્યા નથી તેનું કારણ શું છે?
આ પણ વાંચો-PM મોદી આજે મહાકુંભ પહોંચી સંગમમાં પવિત્ર સ્નાન કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વર્ષા બંગલામાં નવીનીકરણનું કામ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હજુ સુધી આ વિવાદ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તેમના કાર્યાલય તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષા બંગલામાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં જ તેઓ ત્યાં શિફ્ટ થઈ જશે. પરંતુ આ સમગ્ર મામલાને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ મુદ્દે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.