Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતના લોકો 'અભણ'!, Mallikarjun Kharge ના નિવેદનથી ભાજપ લાલઘૂમ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની ધરતી પરથી ગુજરાતના લોકો વિશે એવું નિવેદન આપ્યું કે ભાજપના નેતાઓ લાલચોળ થઈ ગયા છે. શું ખરેખર રાજકીય લડાઈમાં આખા રાજ્યની જનતાને નિશાન બનાવવી યોગ્ય છે? રવિશંકર પ્રસાદના આકરા સવાલો અને પોતાની જ પાર્ટીના શશી થરૂરે આપી માર્મિક સલાહ
ગુજરાતના લોકો  અભણ    mallikarjun kharge ના નિવેદનથી ભાજપ લાલઘૂમ
Advertisement
  • ગુજરાતના લોકો પર ટિપ્પણીથી Mallikarjun Kharge વિવાદમાં
  • કેરળની રેલીમાં ખડગેએ ગુજરાતની જનતાને અશિક્ષિત ગણાવી
  • ભાજપ નેતા રવિશંકર પ્રસાદે માફીની માંગ સાથે કર્યા પ્રહાર
  • શશી થરૂરે રાજકીય ભાષાના સ્તર બાબતે આપી ગંભીર સલાહ
  • કોંગ્રેસ હાઈકમાન્ડને આ નિવેદન પર સ્પષ્ટતા કરવા ભાજપનો પડકાર
  • ગુજરાતની અસ્મિતાના મુદ્દે સોશિયલ મીડિયા પર શરૂ થયો જંગ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ ગુજરાતના લોકો વિશે કરેલી એક ટિપ્પણીએ દેશના રાજકારણમાં મોટું તોફાન મચાવ્યું છે. કેરળ (Kerala) માં એક ચૂંટણી રેલી દરમિયાન ખડગેએ ગુજરાતના લોકોને 'અભણ' ગણાવતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ આક્રમક વલણ અપનાવ્યું છે.

Mallikarjun Kharge નો શું છે સમગ્ર વિવાદ?

રવિવારે કેરળના ઇડુક્કી (Idukki) જિલ્લામાં યોજાયેલી રેલીમાં ખડગેએ નિવેદન આપ્યું હતું કે, કેરળના લોકો સુશિક્ષિત અને હોશિયાર છે, તેથી તેમને ગેરમાર્ગે દોરી શકાય નહીં. આ સાથે તેમણે સરખામણી કરતા કહ્યું કે, ગુજરાત અને અન્ય કેટલાક સ્થળોએ લોકો 'અભણ' (Illiterate) હોવાથી તેમને સરળતાથી ભ્રમિત કરવામાં આવે છે. આ નિવેદન સામે આવતા જ ભાજપે તેને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે.

Advertisement

Advertisement

ભાજપની આકરી પ્રતિક્રિયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ખડગેનું નિવેદન "શરમજનક અને અપમાનજનક" છે. પ્રસાદે સવાલ કર્યો કે શું રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ નિવેદન સાથે સહમત છે? ભાજપે માંગ કરી છે કે ખડગેએ ગુજરાત, બિહાર અને ઉત્તર પ્રદેશની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જે પદ પર સરદાર પટેલ અને નેહરુ જેવા મહાનુભાવો રહ્યા છે, ત્યાં બેસીને આવી વિભાજનકારી ભાષા શોભતી નથી.

શશી થરૂરની પ્રતિક્રિયા

આ વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા શશી થરૂરે (Shashi Tharoor) મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં રાજકીય સંવાદનું સ્તર ઘટી રહ્યું છે. જોકે તેમણે સીધો ખડગેનો બચાવ કરવાને બદલે સલાહ આપી હતી કે, ભલે સામે પક્ષે ખરાબ ભાષાનો ઉપયોગ થતો હોય, પણ આપણે આપણું સ્તર નીચું લાવવું જોઈએ નહીં.

આ પણ વાંચો : નવસારીના Bilimora માં જ્વેલર્સ પર ફાયરિંગ, લૂંટના ઇરાદે આવ્યા હતા ત્રણ લોકો

Tags :
Advertisement

.

×