Mamata Banerjee Cec : મમતા બેનર્જીનો ગંભીર આરોપ, ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરે છે!
- CEC જ્ઞાનેશ કુમાર સાથેની મુલાકાત બાદ દીદીનો આક્રમક મિજાજ (Mamata Banerjee Cec)
- બંગાળમાં SIR પ્રક્રિયા ભાજપના ઈશારે ચાલતી હોવાનો દાવો
- 15 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે મમતાએ ચૂંટણી પંચ સામે છેડ્યો જંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (Chief Minister) મમતા બેનર્જી (Mamata Banerjee) એ સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) સાથેની મુલાકાત બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (Election Commission) પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા તેને 'ભાજપની IT સેલ' (BJP's IT Cell) ગણાવી દીધું છે.
#WATCH | Delhi: West Bengal CM Mamata Banerjee leaves Election Commission Office from the residence of TMC MP and National General Secretary Abhishek Banerjee. pic.twitter.com/eMZyJ8XqyB
— ANI (@ANI) February 2, 2026
Mamata Banerjee Cec : જીવતા લોકોને મૃત જાહેર કરવાનું ષડયંત્ર
15 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ચૂંટણી પંચના મુખ્યાલય પહોંચેલા મમતા બેનર્જીએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, "બંગાળમાં મતદાર યાદી સુધારણા (SIR) ના નામે એવા લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે જેઓ જીવતા છે, પરંતુ કાગળ પર તેમને મૃત બતાવી દેવાયા છે." મમતા બેનર્જી પોતે એવા પરિવારોને પંચ સમક્ષ લઈ ગયા હતા જેમને 'મૃત' જાહેર કરી મતાધિકારથી વંચિત રખાયા છે.મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, "SIR પ્રક્રિયાએ રાજ્યમાં ભય અને તણાવ પેદા કર્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં 140 થી 150 લોકોના મોત થયા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે કામના દબાણને કારણે ત્રણ BLO (Booth Level Officers) ના પણ મોત થયા છે. તૃણમૂલ કોંગ્રેસના મતે, આ પ્રક્રિયા ગરીબ અને લઘુમતી વર્ગના મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું એક મોટું રાજકીય કાવતરું છે.
ચૂંટણી પંચ માત્ર ભાજપના આદેશોનું પાલન કરે છે
મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા મમતા બેનર્જીનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ હવે એક સ્વતંત્ર સંસ્થા રહી નથી, પરંતુ તે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઈશારે કામ કરતું એક એકમ બની ગયું છે. તેમણે SIR પ્રક્રિયાને ગરીબ અને લઘુમતીઓના મત કાપવાનું હથિયાર ગણાવ્યું હતું.
આ પણ વાંચો: CM Mamata Banerjee એ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર , 'બંગાળના લોકો સાથે ઓરમાયું વર્તન'


