Mansa Devi temple: રામ મંદિરે દાન વિવાદ બાદ મનસા દેવી મંદિર ટ્રસ્ટ એલર્ટ, પૂજારી પહેરશે ખિસ્સા વગરના કુર્તા
દાન અને ચઢાવાની વ્યવસ્થાને અત્યંત પારદર્શી બનાવવા માટે હરિદ્વારના પ્રસિદ્ધ માતા મનસા દેવી મંદિર ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે. જેથી ચઢાવામાં આવતી રકમની સુરક્ષા અને પવિત્રતા જળવાઈ રહે. આ સાથે દાનની રકમ પર સતત દેખરેખ રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓનો વિશ્વાસ મજબૂત કરવાનો અને ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.
Advertisement
Mansa Devi temple: રામ મંદિરમાં દાનની રકમમાં ઉચાપતના વિવાદ બાદ ઉત્તરાખંડના પ્રસિદ્ધ હરિદ્વાર મનસાદેવી મંદિર ટ્રસ્ટ સતર્ક બન્યું છે. માતા મનસા દેવી મંદિરમાં દાન અને ચઢાવાની વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે પૂજારીઓ માટે ખાસ ડ્રેસ કોડ લાગુ કર્યો છે, જેમાં હવે તેઓ ખિસ્સા વગરના કુર્તા પહેરશે. આ સાથે દાનની રકમની દેખરેખ માટે 7 સભ્યોની એક વિશેષ સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓનો વિશ્વાસ મજબૂત કરવાનો અને ભ્રષ્ટાચારને રોકવાનો છે.

