Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MEA: પાકિસ્તાન આતંકનું કેન્દ્રબિંદુ, સિંધુ જળસંધિ હાલ સ્થિગિત જ

ભારતનું પાકિસ્તાનને ફરી સ્પષ્ટ અલ્ટિમેટમ આતંકવાદીઓને ભારતને સોંપે પાકિસ્તાનઃ MEA વાતચીત માત્ર POK મુદ્દે જ થઈ શકશેઃ MEA દ્વીપક્ષીય વાતચીતના આ જ બે મુદ્દા પ્રમુખઃ MEA ટેરર અને ટ્રેડ બંને સાથે ન ચાલી શકેઃ MEA સિંધૂ જળસંધિ પણ આતંકી...
mea  પાકિસ્તાન આતંકનું કેન્દ્રબિંદુ  સિંધુ જળસંધિ હાલ સ્થિગિત જ
Advertisement
  • ભારતનું પાકિસ્તાનને ફરી સ્પષ્ટ અલ્ટિમેટમ
  • આતંકવાદીઓને ભારતને સોંપે પાકિસ્તાનઃ MEA
  • વાતચીત માત્ર POK મુદ્દે જ થઈ શકશેઃ MEA
  • દ્વીપક્ષીય વાતચીતના આ જ બે મુદ્દા પ્રમુખઃ MEA
  • ટેરર અને ટ્રેડ બંને સાથે ન ચાલી શકેઃ MEA
  • સિંધૂ જળસંધિ પણ આતંકી સોંપાય નહીં ત્યાં સુધી સ્થગિત

MEA : ભારત સરકારે ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan)કડક સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal)સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ વાતચીત ત્યારે જ થશે જ્યારે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (JAMMU KASHMIR) ખાલી કરશે અને તેને ભારતને સોંપશે.

આતંકવાદ અને વાતચીત એક સાથે નહી- પ્રવક્તા

મહત્વનું છે કે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી સરહદી સંઘર્ષ દરમિયાન ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. ત્યારે આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથેના અમારા સંબંધોનો સવાલ છે, અમારું વલણ સ્પષ્ટ છે. વાતચીત ફક્ત બંને પક્ષો વચ્ચે જ થશે. અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. પાકિસ્કતાને કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા પડશે જેમના રેકોર્ડ અને યાદી અમે થોડા વર્ષો પહેલા જ સોંપી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Mamata Banerjee: મમતા બેનર્જીનો PM મોદીને પડકાર

સિંધુ જળસંધિ સ્થગિત

'જમ્મુ અને કાશ્મીર પર વાતચીત ત્યારે જ થશે જ્યારે PoK ખાલી થશે અને પાકિસ્તાન તે વિસ્તાર અમને સોંપશે. જ્યાં સુધી સિંધુ જળ સંધિનો સવાલ છે, તો સિંધુ જળસંધિ તો સ્થગિત જ રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.

આ પણ  વાંચો -COVID-19:કોરોનાના નવા વેરિએન્ટને લઈ BHU ના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેનો મોટો દાવો

વેપાર અને ટેરિફ પર કોઈ ચર્ચા થઈ નથી - જયસ્વાલ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "પાકિસ્તાન સાથેની કોઈપણ ચર્ચામાં વેપાર કે ટેરિફનો મુદ્દો આવ્યો નથી." વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે 'બંને બાજુથી ગોળીબાર બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચે સીધા સંપર્ક દ્વારા લેવામાં આવ્યો હતો.'

Tags :
Advertisement

.

×