મિથુન ચક્રવર્તીનું નિવેદન: 'બંગાળને બાંગ્લાદેશ ન બનવા દો', કૉંગ્રેસ-લેફ્ટ ભભૂક્યા
. પ. બંગાળને બાંગ્લાદેશ નહીં બનવા દેવાની અપીલ
. ભાજપના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની અપીલ
. મિથુન ચક્રવર્તી પર કૉંગ્રેસ અને લેફ્ટનો પલટવાર
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તકરાર છેડાઈ ચુકી છે. ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ પશ્ચિમ બંગાળના મતદાતાઓને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી છે. તેની સાથે તેમણે કહ્યુ છે કે બંગાળને બાંગ્લાદેશ બનવા દેશો નહીં. આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ખળભળાટની સ્થિતિ છે, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો મિથુન ચક્રવર્તી પર પલટવાર કરીને રાજકીય ઘેરાબંધીમાં લાગેલા છે.
કૉંગ્રેસે સાધ્યું નિશાન
મિથુન ચક્રવર્તી પર પલટવાર કરતા કૉંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યુ છે કે મિથુન ચક્રવર્તીનું માનસિક સંતુલન ખતમ થઈ ચુક્યું છે. ભાજપે તેમને રાજ્યસભા, લોકસભાની બેઠક આપી નથી. માટે તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા વ્યક્તિ તરીકે વાત કરી રહ્યા છે. દેશદ્રોહની વાત કરી રહ્યા છે, બંગ્લા ભાષીઓને બાંગ્લાદેશી કહેવાનું કામ કરી રહ્યા છે. બંગ્લા ભાષીઓમાં હિંદુ-મુસ્લિમ કરવાનું કામ કરી રહ્યા છે, આવા વ્યક્તિનું સ્થાન પાગલખાનામાં કે જેલમાં હોવું જોઈએ.
સીપીએમનો પલટવાર
મિથનન ચક્રવર્તીના નિવેદન પર સીપીએમના હન્નાન મોલ્લાહે કહ્યુ કે ગત 15 વર્ષથી ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે ઘનિષ્ઠતા રહી છે, માટે તેઓ ખુલ્લેઆમ એકબીજાને લડાવશે, એકબીજાને ગાળો આપશે. પરંતુ તેમનો મુખ્ય હેતુ એ છે કે તેઓ મળીને લેફ્ટને ખતમ કરવા ચાહે છે.
મહત્વપૂર્ણ છે કે બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ વચ્ચે સાત દિવસમાં બે હિંદુ યુવકોના મોબ લિંચિંગથી મોત નીપજ્યા છે. બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી-2026માં ચૂંટણીઓ છે. તો 2026માં જ પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.


