Monsoon in India : કેરળમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી, જાણો ગુજરાતમાં ક્યારે થશે વરસાદ?
Monsoon in India : લાંબા ઇંતજાર બાદ આખરે મેઘરાજાએ ભારતભૂમિ પર પગરણ માંડ્યા છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (Indian Meteorological Department - IMD) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) કેરળના કિનારે પહોંચી ગયું છે. જોકે સામાન્ય રીતે 1 જૂને દસ્તક દેતું ચોમાસું આ વર્ષે 4 દિવસના વિલંબ સાથે કેરળ પહોંચ્યું છે.
Monsoon in India : કેરળમાં ઓરેન્જ એલર્ટ અને તૈયારીઓ
કેરળમાં ચોમાસાના આગમન સાથે જ હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે અલાપ્પુઝા (Alappuzha), કોટ્ટાયમ (Kottayam) અને એર્નાકુલમ (Ernakulam) માં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે પવન સાથે ગાજવીજ અને મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા માછીમારો અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
સમગ્ર દેશમાં ક્યારે પહોંચશે ચોમાસું?
દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો કે જેઓ હાલ ભયંકર ગરમી (Heatwave) નો સામનો કરી રહ્યા છે, તેમના માટે આ ચોમાસું રાહતના સમાચાર લઈને આવ્યું છે. હવામાન વિભાગના મોડેલ મુજબ, 30 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે. રાજધાની દિલ્હીમાં તે 25 થી 30 જૂન વચ્ચે પહોંચવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 15 જૂન આસપાસ વરસાદની શરૂઆત થઈ શકે છે.
શું આ વર્ષે વરસાદ ઓછો રહેશે?
આઈએમડી (IMD) એ પોતાના તાજેતરના અંદાજમાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા થોડું નબળું રહી શકે છે. એલપીએ (Long Period Average - LPA) ના 90 ટકા વરસાદની સંભાવના છે, જેનું એક મુખ્ય કારણ 'અલ-નીનો' (El-Nino) જેવી સ્થિતિ ગણવામાં આવી રહી છે. જોકે, દેશભરના ખેડૂતો અને સામાન્ય નાગરિકો હવે ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ગુજરાત ક્યારે પહોંચશે ચોમાસું?
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે અને તે આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે, કેરળમાં વરસાદની શરૂઆત થયાના લગભગ 10 થી 15 દિવસ બાદ ચોમાસું ગુજરાતના કિનારે પહોંચતું હોય છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂન મહિનાના બીજા સપ્તાહના અંત સુધીમાં, એટલે કે અંદાજે 12 થી 15 જૂન આસપાસ દસ્તક દઈ શકે છે. ચોમાસું પહેલા દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધશે. ખેડૂતો અને નાગરિકો હવે વાવણીના પ્રારંભ માટે મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Maharashtra : TCS બાદ WIPRO માં પણ ધર્માંતરણ..! મહિલા કર્મચારીએ લગાવ્યા ગંભીર આરોપ


