Mumbai : ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર, જાણો કેમ આવ્યા સાથે
Mumbai : મહારાષ્ટ્રના રાજકીય પટલ પર 5 જુલાઈ, 2025નો દિવસ ઐતિહાસિક બન્યો, જ્યારે બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (Uddhav Thackeray and Raj Thackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા. આ પ્રસંગ હતો મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિ (Maharashtra government's three-language policy) ના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો.
Advertisement
- ઠાકરે ભાઈઓ 20 વર્ષ બાદ એક મંચ પર
- મરાઠી માટે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક થયાં
- ત્રિભાષા નીતિ સામે મરાઠી વિજય દિવસ રેલી
- MNS અને શિવસેના (યુબીટી)નું સંયુક્ત શક્તિ પ્રદર્શન
- ભાજપે રેલીને ચૂંટણીલક્ષી કહીને ટીકા કરી
Mumbai : મહારાષ્ટ્રના રાજકીય પટલ પર 5 જુલાઈ, 2025નો દિવસ ઐતિહાસિક બન્યો, જ્યારે બે દાયકાથી એકબીજાથી અલગ રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે (Uddhav Thackeray and Raj Thackeray) પ્રથમ વખત એક મંચ પર સાથે જોવા મળ્યા. આ પ્રસંગ હતો મહારાષ્ટ્ર સરકારની ત્રિભાષા નીતિ (Maharashtra government's three-language policy) ના વિરોધમાં આયોજિત રેલી, જેને શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ‘મરાઠી વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો. આ રેલી બાદ રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ છે કે શું ઠાકરે ભાઈઓ ભવિષ્યમાં રાજકીય ગઠબંધન રચી શકે છે. જોકે, કોંગ્રેસના નેતાઓએ આ રેલીમાં હાજરી આપી ન હતી, જ્યારે ભાજપના નેતાઓએ આ ઘટનાને BMC ચૂંટણી માટેનું રાજકીય પગલું ગણાવી ટીકા કરી હતી.

