Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai : કુર્લા બસ અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે, જોઇને ચોંકી જશો

મુંબઈના કુર્લામાં થયેલા ભયાનક બસ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 7 લોકોના મોત થયા હતા. ફૂટેજમાં બસ ડ્રાઈવર ડ્રાઈવર સંજય મોરે, જે પોતાની બે બેગ લઈને તૂટેલી બારીમાંથી કૂદીને સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ડ્રાઈવર પર કડક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી રહી છે.
mumbai   કુર્લા બસ અકસ્માતના cctv ફૂટેજ આવ્યા સામે  જોઇને ચોંકી જશો
Advertisement
  • કુર્લા બસ દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
  • કુર્લાનો ભયાનક બસ અકસ્માત, CCTV ફૂટેજમાં ડ્રાઈવરનું ભાગી છૂટવાનું દ્રશ્ય
  • 7 મોત, 42 ઘાયલ: કુર્લામાં બસ કાબૂ બહાર ગઈ, ડ્રાઈવરની ધરપકડ
  • કુર્લા બસ અકસ્માત: ડ્રાઈવરની કાર્યવાહી પર લોકોમાં રોષ, CCTV ફૂટેજ વાયરલ
  • BEST બસનો ભયાનક અકસ્માત: CCTV ફૂટેજમાં ડ્રાઈવરનું ભાગી છૂટવાનું દ્રશ્ય વાયરલ
  • કુર્લામાં BEST બસનો અકસ્માત: ડ્રાઈવરની ધરપકડ, તપાસ ચાલુ

મુંબઈના કુર્લામાં થયેલા ભયાનક બસ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેની અંદર 7 લોકોના જીવ ગયા હતા. બસની અંદર લાગેલા CCTV કેમેરામાં જોઈ શકાય છે કે અકસ્માતના આઘાતથી લોકોમાં અંધાધૂંધ મચી ગઈ હતી. લોકો દરવાજામાંથી બહાર નીકળવાની રાહ જોયા વગર તૂટેલી બારીઓમાંથી બહાર દોડતા જોવા મળ્યા હતા. વીડિયોમાં બસ ડ્રાઇવર સંજય મોરે પણ દેખાયો હતો, જે પોતાની પીઠ પર બે બેગ ઉઠાવીને, તૂટેલી બારીમાંથી કૂદીને સ્થળ પરથી ભાગી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બસ ડ્રાઇવર સામે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ઘણા યુઝર્સે ડ્રાઇવર સામે કડક પગલાં લેવા માટે માંગ કરી છે.

બસ કાબૂ બહાર નીકળી અને મુસાફરો માટે બેકાબૂ સ્થિતિ

ગયા સોમવારે મુંબઈમાં બેસ્ટની ઈલેક્ટ્રિક બસ કુર્લાના એસજી બર્વે રોડ પર કાબૂ બહાર ગઇ હતી અને ત્યા રહેલા ઘણા વાહનો અને રાહદારીઓ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના જીવ ગયા હતા અને 42 લોકો ઘાયલ થયા હતા. વીડીયોમાં દેખાય છે કે બસની અંદર મુસાફરો ખૂબ ડીરી ગયા હતા. સામાન્ય રીતે ચાલતી બસ અચાનક બેકાબૂ થઈ ગઈ, જેના કારણે મુસાફરો થાંભલા અને હેન્ડલને મજબૂતીથી પકડી રાખતા જોવા મળ્યા હતા. તુરંત જ બસ બંધ થતાં, કેટલાક મુસાફરો દરવાજેથી બહાર નીકળવાની મથામણ કરતા જોવા મળ્યા, તો કેટલાક તૂટેલી બારીઓમાંથી કૂદીને પોતાનું જીવન બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

ડ્રાઇવરની ધરપકડ અને પ્રારંભિક તપાસ

બસના ડ્રાઇવર સંજય મોરે થોડા જ પળોમાં કેબિનમાં જઈને તેની બે બેગ ઉપાડી અને તૂટેલી બારીમાંથી કૂદીને ભાગી ગયો હતો, જ્યારે કંડક્ટર બસના પાછલા દરવાજેથી નીચે ઉતરી ગયો હતો. આ અકસ્માત બાદ 7 લોકોના મોત થયા અને 42 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા સંજય મોરેની ધરપકડ કરવામાં આવી અને તેના પર દોષિત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મોરેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. RTO દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જણાવ્યું હતું કે બસમાં કોઈ તકનીકી ખામી ન હતી.

પરિસ્થિતિ પર પ્રતિસાદ અને કડક કાર્યવાહી

આ અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર ડ્રાઇવર વિરુદ્ધ ભારે નારાજગી ફેલાઈ હતી. લોકો ડ્રાઇવર પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા સંચાલિત આ બસના કારણે એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ, જેની જવાબદારી નક્કી કરવા માટે પોલીસ અને RTO ની તપાસ ચાલુ છે. સરકાર અને સ્થાનિક તંત્રો આ પ્રકારની ઘટનાઓ માટે વધુ સુરક્ષા ઉપાયો લાવશે તેવી લોકો આશા રાખે છે.

આ પણ વાંચો:  Mumbai : કુર્લામાં Best બસનો ભયાનક અકસ્માત, રસ્તા પર જઇ રહેલા 20 લોકોને કચડ્યા

Tags :
Advertisement

.

×