New Delhi: 'Operation Sindoor માં તો માત્ર ટ્રેલર હતુ, ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ', આર્મી ચીફનો પાકિસ્તાનને કડક સંદેશ
- Indian Army Chief ની Pakistan ને કડક ચેતવણી
- Operation Sindoor માં તો માત્ર ટ્રેલર દેખાડ્યુંઃ સેના પ્રમુખ
- સેના પ્રમુખે કહ્યું ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ
- પાણી અને લોહી એકસાથે ન વહી શકેઃ સેના પ્રમુખ
- ભવિષ્યમાં કોઈપણ સ્થિતિ માટે તૈયારઃ સેના પ્રમુખ
- પાકિસ્તાનને જવાબદારીનો પાઠ ભણાવીશુંઃ સેના પ્રમુખ
- 'આજના સમયમાં લડાઈ બહુવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી'
- ચાણક્ય ડાયલૉગમાં બોલ્યા જનરલ Upendra Dwivedi
Indian Army Chief Upendra Dwivedi | "Operation Sindoor માં તો માત્ર ટ્રેલર દેખાડ્યું, ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ" | Gujarat First
Indian Army Chief ની Pakistan ને કડક ચેતવણી
Operation Sindoor માં તો માત્ર ટ્રેલર દેખાડ્યુંઃ સેના પ્રમુખ
સેના પ્રમુખે કહ્યું ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ… pic.twitter.com/gUtylnLCSy— Gujarat First (@GujaratFirst) November 17, 2025
'ભારત કોઈપણ બ્લેકમેલથી ડરતું નથી'
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi)એ પાકિસ્તાન તરફથી સતત ચાલી રહેલા આતંકવાદને ભારતની સૌથી ગંભીર ચિંતા ગણાવી. તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર (Operation Sindoor) માત્ર એક ટ્રેલર હતું, જે માત્ર 88 કલાકમાં સમાપ્ત થયું. જો કોઈ આપણને બ્લેકમેલ કરવા માંગે છે, તો ભારત કોઈપણ બ્લેકમેલથી ડરતું નથી.” આ નિવેદન પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી છે કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદને પ્રોત્સાહન આપનાર કોઈપણને ભારત કડક જવાબ આપવા તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું, “ભલે અમને કોરો પત્ર મળે, પણ અમે જાણીએ છીએ કે કોને જવાબ આપવો પડશે.”
'પાકિસ્તાન સાથે ત્યારે જ વાત જ્યારે આતંકવાદ ખતમ કરે'
આર્મી ચીફે ભારતના 'નવા સામાન્ય'ને વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું, “લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. વાતચીત અને આતંક એકસાથે ચાલી શકતા નથી.”
ચીન સાથેના સંબંધો અંગે આર્મી ચીફ બોલ્યા
ચીન સાથેના સરહદી મુદ્દાઓ પર વાત કરતાં જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે ઓક્ટોબર 2024થી સંબંધોમાં સુધારો થયો છે અને વાટાઘાટો આગળ વધી રહી છે. જોકે, તેમણે ભારતનું વલણ મક્કમ રહેશે તેવું સ્પષ્ટ કર્યું. “સુરક્ષા પડકારો બદલાઈ રહ્યા છે, અને ભારતે કોઈપણ પ્રકારના લાંબા ગાળાના સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ. ભારતની વ્યૂહરચના સ્પષ્ટ છે. શાંતિ પહેલ ચાલુ રહેશે, તેમજ જરૂરી કાર્યવાહી પણ ચાલુ રહેશે.
'મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો'
મણિપુરની પરિસ્થિતિ (Manipur Situation) અંગે આર્મી ચીફે આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. લોકોનો સરકારમાં વિશ્વાસ વધ્યો છે અને સમુદાયો વચ્ચે પરસ્પર વિશ્વાસ મજબૂત થયો છે. “ડ્યુરન્ડ કપ દરમિયાન અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે પણ શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી,” તેમણે આશા વ્યક્ત કરી કે જો આ સુધારો ચાલુ રહેશે, તો રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી


