New Delhi : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C.R. Paatil ની હાજરીમાં FICCI Water Awards નું આયોજન
- નવી દિલ્હીમાં 11 માં ભારત ઉદ્યોગ જળ સંમેલન અને 13 માં FICCI જળ પુરસ્કારોનું આયોજન (FICCI Water Awards)
- FICCI Water Awards માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરી
- ઉદ્યોગના નેતાઓ, નીતિ નિષ્ણાતો અને વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સાથે ચર્ચા
- ટકાઉ જળ વ્યવસ્થાપન, જળ સંરક્ષણ અને જળ પરિભ્રમણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચા
- PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, રાષ્ટ્રીય વિકાસના કેન્દ્રમાં જળ સુરક્ષાને મૂકવામાં આવી : કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. પાટીલ
New Delhi : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે (C.R. Paatil) આજે નવી દિલ્હીમાં 11 માં ભારત ઉદ્યોગ જળ સંમેલન અને 13 માં FICCI જળ પુરસ્કારોમાં (FICCI Water Awards) ભાગ લીધો હતો. આ પ્રસંગે, ઉદ્યોગના નેતાઓ, નીતિ નિષ્ણાતો અને વિવિધ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ સાથે ટકાઉ જળ વ્યવસ્થાપન, જળ સંરક્ષણ અને જળ પરિભ્રમણ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ યોજાઈ હતી.
આ પણ વાંચો - "સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ" યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે Gujarat પ્રથમ ક્રમે
आज नई दिल्ली में आयोजित 11th इंडिया इंडस्ट्री वाटर कांक्लेव तथा 13th FICCI वाटर अवार्ड्स कार्यक्रम में सहभागिता की ।
इस अवसर पर उद्योग जगत, नीति विशेषज्ञों तथा विभिन्न संस्थानों के प्रतिनिधियों के साथ सतत जल प्रबंधन, जल संचय और वाटर सर्कुलारिटी जैसे विषयों पर संवाद हुआ।
माननीय… pic.twitter.com/mw3uxd8YIs
— C R Paatil (@CRPaatil) March 10, 2026
PM મોદીના નેતૃત્વમાં, રાષ્ટ્રીય વિકાસના કેન્દ્રમાં જળ સુરક્ષાને મૂકવામાં આવી : કેન્દ્રીય જળશક્તિ મંત્રી
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે (C.R. Paatil) આ અંગે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendrabhai Modi) નેતૃત્વમાં, રાષ્ટ્રીય વિકાસના કેન્દ્રમાં જળ સુરક્ષાને મૂકવામાં આવી છે. ઉદ્યોગોની સક્રિય ભાગીદારી જળ સંરક્ષણ, પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને શુદ્ધ પાણીના પુનઃ ઉપયોગને વધુ વેગ આપી શકે છે. FICCI જળ પુરસ્કારોના તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવું છું.જળ સંરક્ષણ (Water Resources) અને ટકાઉ વિકાસ તરફના તમારા પ્રયાસો દેશ માટે પ્રેરણાદાયક છે.
આ પણ વાંચો - કચ્છના 'Road to Heaven' નો થશે કાયાકલ્પ: કેન્દ્રની ₹650 કરોડની મોટી ભેટ!


