Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM આવાસ યોજનાના નવા અપડેટ્સ, 13 માંથી 3 નિયમો દૂર કરાયા

જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમારા માટે સસ્તામાં ઘર ખરીદવા માંગો છો, તો નવી કેટેગરી જાણવી જરૂરી છે. ભારત સરકારની માહિતી અનુસાર તેમાં કેટલાક નવા ફેરફાર કરવામાં આવ્યા છે.
pm આવાસ યોજનાના નવા અપડેટ્સ  13 માંથી 3 નિયમો દૂર કરાયા
Advertisement
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા અપડેટ્સ
  • પાત્રતા માપદંડ 13 થી ઘટાડીને 10 કરવામાં આવ્યા
  • પહેલા કરતાં વધુ ગ્રામીણ પરિવારો આ યોજના માટે પાત્ર

PMAY Updates: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાત્રતા માપદંડ 13 થી ઘટાડીને 10 કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે. હવે પહેલા કરતાં વધુ ગ્રામીણ પરિવારો આ યોજના માટે પાત્ર છે. PIB અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ભારત સરકારની માહિતી અનુસાર, હવે ફિશિંગ બોટ અથવા મોટરચાલિત ટુ-વ્હીલરની માલિકી જેવી કેટલીક શરતો દૂર કરવામાં આવી છે અને આવક મર્યાદા વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.

Advertisement

આ યોજના શું છે?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને પાકા મકાનો પૂરા પાડવાનો છે. વર્ષ 2025 માં પણ, આ યોજના પૂરા જોશથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કરોડો પરિવારોને તેનો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ યોજના વર્ષ 2025 માં વધુ સારી રીતે લાગુ કરવામાં આવી.

Advertisement

આ પણ વાંચો : WAVES Summit 2025 માં PM મોદીનું સંબોધન, કહ્યું, 'ભારતીય સિનેમા વિશ્વના દરેક ખૂણે પહોંચ્યું'

કોને લાભ મળશે?

આ વર્ષે પીએમ આવાસ યોજનાથી વંચિત એવા પાત્ર પરિવારો માટે એક નવું સર્વેક્ષણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. સરકારે આ સર્વે 10 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ કર્યો હતો અને તેની છેલ્લી તારીખ અગાઉ 30 માર્ચ 2025 હતી. પરંતુ લાયકાત ધરાવતા લોકોનો સર્વે પૂર્ણ ન થવાને કારણે તેને 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોના જ નામ આવાસ યોજનામાં નોંધાયેલા હશે અને તેઓ ભવિષ્યમાં આ યોજનાનો લાભ લઈ શકશે.

પહેલાની લાયકાત શું હતી?

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટેની લાયકાત આવક પર નિર્ભર છે. આ યોજનામાં ત્રણ મુખ્ય શ્રેણીઓ છે. આર્થિક રીતે નબળા વર્ગો (EWS), નિમ્ન આવક જૂથ (LIG), અને મધ્યમ આવક જૂથ (MIC). EWS કેટેગરીમાં વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી, LIGમાં રૂ. 3 લાખથી રૂ. 6 લાખની વચ્ચે અને MICમાં રૂ. 6 લાખથી રૂ. 18 લાખની વચ્ચે હોવી જોઈએ. વધુમાં, તમે અથવા તમારા પરિવાર પાસે ભારતમાં કાયમી મકાન ન હોવું જોઈએ અને અગાઉ કોઈપણ અન્ય સરકારી આવાસ યોજનામાંથી નાણાકીય સહાય ન મેળવી હોય.

આ પણ વાંચો : ATM માંથી પૈસા ઉપાડવાથી લઈને રેલ્વે ટિકિટ સુધી...આજથી બદલાયા આ 7 નિયમો

Tags :
Advertisement

.

×