ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

NIRMALA SITHARAMAN એ બજેટ રજૂ કરતા જ બનાવ્યો ઇતિહાસ, બજેટ બાદ કરશે આ કામ!

ભારતના નાણામંત્રી NIRMALA SITHARAMAN દ્વારા બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. MODI 3.0 ના શાસનકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલું આ પ્રથમ બજેટ છે. આજે NIRMALA SITHARAMAN એ બજેટ રજૂ કરતાંની સાથે જ નવી ઇતિહાસ બનાવી દીધો છે. નિર્મલા સીતારમણે સતત...
11:59 AM Jul 23, 2024 IST | Harsh Bhatt
ભારતના નાણામંત્રી NIRMALA SITHARAMAN દ્વારા બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. MODI 3.0 ના શાસનકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલું આ પ્રથમ બજેટ છે. આજે NIRMALA SITHARAMAN એ બજેટ રજૂ કરતાંની સાથે જ નવી ઇતિહાસ બનાવી દીધો છે. નિર્મલા સીતારમણે સતત...

ભારતના નાણામંત્રી NIRMALA SITHARAMAN દ્વારા બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. MODI 3.0 ના શાસનકાળ દરમિયાન રજૂ કરવામાં આવેલું આ પ્રથમ બજેટ છે. આજે NIRMALA SITHARAMAN એ બજેટ રજૂ કરતાંની સાથે જ નવી ઇતિહાસ બનાવી દીધો છે. નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું છે અને આ સાથે જ તેમણે નવો રેકોર્ડ બનાવી દીધો છે. તમને જણાવી દઈએ કે, બજેટમાં આખા વર્ષનો હિસાબ હોય છે. સરકારને કમાણી ક્યાંથી થશે? તેણી ક્યાં ખર્ચ કરશે? તેણી કેટલો ખર્ચ કરશે? આ વિશે જણાવવામાં આવ્યું છે. સામાન્યા માણસ હોય કે પછી મોટો વેપારી દરેક વ્યક્તિ બજેટની મીટ માંડીને બેઠા હોય છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે બજેટ બાદ શું? બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી શું કરશે? ચાલો જાણીએ સમગ્ર બાબત આ અહેવાલમાં

BUDGET રજૂ કરાયા બાદ શું થશે?

નાણામંત્રી NIRMALA SITHARAMAN એ આજે બજેટ રજૂ કર્યું છે. હવે બજેટ રજૂ કર્યા બાદ તે વધુ બે બિલ રજૂ કરશે. પ્રથમ- એક ફાઇનાન્સ બિલ હશે, જેમાં સરકારની કમાણીનો હિસાબ હશે. અને બીજું - વિનિયોગ બિલ, જેમાં સરકારના ખર્ચનો હિસાબ છે. હવે તેના બાદ સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બજેટ પર ચર્ચા અને ચર્ચા થાય છે. બંને ગૃહોની મંજૂરી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિની સહી પછી જ બજેટ અમલમાં આવે છે. આમ બજેટ રજૂ થયા બાદ આ પ્રકરાની પ્રક્રિયાને અનુસરવામાં આવે છે.

જો BUDGET સંસદમાં અટકી જાય તો

આમ તો સામાન્ય રીતે બજેટ સંસદમાં આસાનીથી પસાર થઈ જાય છે. પરંતુ જો બજેટ સંસદમાં અટકી જાય તો અને પસાર ન થાય તો સરકાર સંકટમાં છે તેવું માનવામાં આવે છે. બજેટ લોકસભામાં પસાર થાય તે જરૂરી છે કારણ કે તે નાણાંકીય બિલ છે. ફાઇનાન્સ બિલને રાજ્યસભાની મંજૂરીની જરૂર નથી.

બંધારણમાં BUDGET ની  જોગવાઈ

તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની કલમ 112માં બજેટની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 112 કહે છે કે દર વર્ષે રાષ્ટ્રપતિ સરકારને તે વર્ષની કમાણી અને ખર્ચની વિગતો સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરશે. આને 'વાર્ષિક નાણાકીય નિવેદન' કહેવામાં આવે છે.

MORARJI DESAI - સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી

શું તમને ખબર છે કે અત્યાર સુધીમાં મોરારજી દેસાઇ એ વ્યક્તિ છે જેમને સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે. તેઓ વર્ષ 1962 થી 1969 સુધી નાણામંત્રી હતા. તેમના પછી પી. ચિદમ્બરમે 9 વખત અને પ્રણવ મુખર્જીએ 8 વખત બજેટ રજૂ કર્યું છે.

આ પણ વાંચો : Nirmala Sitharaman Budget Look: દરેક બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાડી હોય છે વિશેષ

Tags :
Agricultural productivitybudget 2024budget 2024 updatesDeveloped India roadmapEase of doing businessEconomic roadmapEmployment packageEnergy securityfinance ministerFree ration schemeGlobal economic challengesGujarat FirstHardik Shahincoem tax slabIncome Tax changesindia budget 2024Inflation controlInnovation and R&DMiddle class benefitsminimum support priceMoraji DesaiMSME focusMSPNDA governmentNext-generation reformsNirmala Sitharamannirmala sitharaman speechnirmala sitharaman speech updatesPM Garib Kalyan Anna YojanaRecord budget presentationSkill trainingunion budget 2024Urban developmentYouth employment schemes
Next Article