Ajit Doval નું યુવાનોને પ્રેરિત કરતું સંબોધન , ઇતિહાસના અપમાનનો બદલો 'વિકસિત ભારત' બનાવીને લો!
- ભારતના NSAએ Ajit Doval આપ્યું મોટું નિવેદન
- ભારતને આઝાદી મળી છે મોટી કિંમત ચૂકવીને : ડોભાલ
- યુવાનો ઇતિહાસમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રના નિર્માણમાં જોડાય : ડોભાલ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે શુક્રવારે 'વિકસિત ભારત યુવા નેતા સંવાદ' (VBYLD 2026) ના ઉદ્ઘાટન પ્રસંગે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવતું મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતને આઝાદી ખૂબ મોટી કિંમત ચૂકવીને મળી છે અને હવે સમય આવી ગયો છે કે યુવાનો ઇતિહાસમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રના પુનર્નિર્માણમાં જોડાય.
Ajit Doval : "આઝાદી મફતમાં નથી મળી, પૂર્વજોએ અપમાન સહન કર્યું છે
ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ડોભાલે ભાવુક અને આક્રમક શૈલીમાં કહ્યું, "આજે આપણે જે સ્વતંત્ર ભારત જોઈ રહ્યા છીએ તે હંમેશા આવું નહોતું. આપણા પૂર્વજોએ આ માટે અગણિત બલિદાન આપ્યા છે. તેઓએ લાચારી વેઠી, અપમાન સહન કર્યું, આપણા મંદિરો લૂંટાયા અને ગામડાઓ સળગાવી દેવામાં આવ્યા. આપણે આપણી સભ્યતાનો નાશ થતો લાચારીથી જોયો છે."તેમણે વધુમાં ઉમેર્યું કે, "ઇતિહાસનો 'બદલો' લેવો એટલે કોઈ પર હુમલો કરવો એવો નથી, પરંતુ ભારતને ફરીથી એવા સ્થાને લઈ જવું જ્યાં આપણી માન્યતાઓ, અધિકારો અને વિચારોનું સન્માન હોય. આ જ સાચો બદલો છે.
Speaking at the opening ceremony of the Viksit Bharat Young Leaders Dialogue in Delhi, National Security Advisor Ajit Doval urged young Indians to convert dreams into decisive action, emphasising responsibility, resilience and nation-building. NSA Doval highlighted the… pic.twitter.com/LgFkiRRK16
— DD News (@DDNewslive) January 10, 2026
સુરક્ષા પ્રત્યેની બેદરકારી ભૂતકાળની મોટી ભૂલ
ભારતની પ્રાચીન સભ્યતાનો ઉલ્લેખ કરતા NSA એ જણાવ્યું કે ભારત હંમેશા શાંતિપ્રિય દેશ રહ્યો છે. આપણે ક્યારેય કોઈના પર હુમલો કર્યો નથી કે કોઈની સંપત્તિ લૂંટી નથી. પરંતુ, ભૂતકાળમાં આપણે આપણી સુરક્ષા અને સંભવિત જોખમોને ઓળખવામાં નિષ્ફળ ગયા હતા.
આ પણ વાંચો: Budget session 2026: બજેટ સત્ર આ તારીખથી શરૂ થશે, મંત્રી કિરેન રિજિજુએ સત્તાવાર કરી જાહેરાત


