Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ અને હાઈકિંગની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ
22મી એપ્રિલે થયેલા Pahalgam Terror Attack બાદ ભારતે આકરું વલણ દાખવ્યું છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તમામ ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) એક્ટિવિટીઝ સ્થગિત કરી દીધી છે. વાંચો વિગતવાર.
Advertisement
- જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે તમામ Trekking અને Hiking એક્ટિવિટીઝ સ્થગિત કરી દીધી
- જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અત્યારે સાવધ, સતર્ક અને સાબદું બની ગયું છે
- Pahalgam Terror Attack બાદ ભારતે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીનો સફાયો કર્યો છે
Pahalgam Terror Attack : અત્યારે ભારત સુરક્ષા ક્ષેત્રે કોઈ કસર છોડવા માંગતું નથી. ભારતીય સેનાની તડામાર તૈયારીઓથી પાકિસ્તાન ધૃજી ઉઠ્યું છે. જો કે ભારત સરકાર અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર પણ સાવધ, સતર્ક અને સાબદું થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં ટ્રેકિંગ (Trekking) અને હાઈકિંગ (Hiking) ની તમામ એક્ટિવિટીઝ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

