Pahalgam Terror Attack NIA Chargesheet: પહલગામ હુમલામાં NIA એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, થયા ચોંકાવનારા ખુલાસા
કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે જાણીતા પ્રવાસન સ્થળ પર જમ્મૂ કાશ્મીરના પહલગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. રજાઓ માણવા આવેલા નિર્દોષ પ્રવાસીઓ પર અચાનક આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. સુરક્ષા એજન્સી એનઆઈએ એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જેમાં કેટલાક ખુલાસા થયા છે.
Advertisement
- Pahalgam Terror Attack NIA Chargesheet
- પહલગામ આતંકી હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
- આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત નિપજ્યા હોવાનો ઉલ્લેખ
- પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા અને ધ રઝિસ્ટન્સ ફ્રન્ટે મચાવ્યો હતો આતંક
- આતંકીઓએ ધર્મ પૂછીને પ્રવાસીઓને મારી હતી ગોળી
Pahalgam Terror Attack NIA Chargesheet: કાશ્મીરના ખૂબ જ સુંદર પ્રવાસન સ્થળ પર બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. કુદરતી સૌંદર્ય માણવા આવેલા નિર્દોષ લોકો પર અચાનક કાળ તૂટી પડ્યો હતો. સુરક્ષા એજન્સીઓની ઊંડી તપાસ બાદ હવે તે ગોઝારા દિવસનું ભયાનક સત્ય સપાટી પર આવ્યું છે. ખીણ પ્રદેશમાં શાંતિ ડહોળવાના ઈરાદા સાથે ઘડાયેલા આ ગુપ્ત કાવતરાના રહસ્યો ખુલી રહ્યા છે. નિર્દોષોના લોહીથી રમાયેલી આ રમત પાછળ કયા ક્રૂર ચહેરાઓ સામેલ હતા, તે જાણીને કંપારી છૂટી જાય તેમ છે. આ તમામ બાબતો NIA એ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.

