Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર દેખાવો યથાવત, Gujarat First નો Exclusive Report

Pahalgam Terror Attack બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર દેખાવો કાશ્મીર ઘાટીમાં જોવા મળ્યા છે. સ્થાનિક કાશ્મીરીઓએ હિન્દુસ્તાન ઝીંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે. વાંચો Gujarat First નો Exclusive Report.
pahalgam terror attack   કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર દેખાવો યથાવત  gujarat first નો exclusive report
Advertisement
  • આતંકવાદ વિરુદ્ધ કાશ્મીરીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
  • આતંકવાદીઓને અમે મારી નાખીશુંઃ સ્થાનિકો
  • અમને બોર્ડર પર મોકલી દોઃ સ્થાનિકો
  • આતંકીઓને નેસ્તનાબુદ કરવાની માગ

Pahalgam Terror Attack : 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાનો ઉગ્ર વિરોધ કાશ્મીરમાં ઠેર ઠેર થઈ રહ્યો છે. સ્થાનિક કાશ્મીરીઓ જ આતંકવાદીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ હિન્દુસ્તાન ઝીંદાબાદ (Hindustan Zindabad) અને પાકિસ્તાન મુર્દાબાદ (Pakistan Murdabad) ના નારા લગાવ્યા છે. Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr.vivekkumar Bhatt) ગ્રાઉન્ડ ઝીરો પરથી Exclusive Reporting કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, કલાકો બાદ પણ કાશ્મીર ઘાટીમાં ઉગ્ર વિરોધ યથાવત છે.

પાકિસ્તાન મુર્દાબાદના નારા

Gujarat First ના Exclusive Repor માં જણાવાયું છે કે, કાશ્મીર ઘાટીમાં આતંકને જડબાતોડ જવાબ આપવાની માગ સાથે કાશ્મીર ઘાટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સ્થાનિક કાશ્મીરીઓ આતંકવાદના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. આતંકીઓને નેસ્તનાબુદ કરવાની માગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ હાથમાં તિરંગા સાથે Hindustan Zindabad અને Pakistan Murdabad ના નારા લગાવ્યા છે. પ્રદર્શનકારીઓએ આતંકવાદીઓને જાહેરમાં ફાંસી આપવાની માગ કરી છે.

Advertisement

આ પણ વાંચોઃ  jammu-kashmir : આતંકીઓ સામે કાર્યવાહી તેજ,વધુ એક આતંકીનું ઘર ફૂંકી મારવામાં આવ્યું

Advertisement

આતંકવાદે સ્થાનિકોની છીનવી રોજગારી

22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાનો ઉગ્ર વિરોધ કાશ્મીરમાં ઠેર ઠેર થઈ રહ્યો છે. સ્થાનિક કાશ્મીરીઓ જ આતંકવાદીઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આતંકને કારણે અમારા ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. આતંકને કારણે અમારી આર્થિક હાલત ખરાબ થઈ ગઈ છે. સ્થાનિકોની કમર આતંકવાદે તોડી નાંખી છે કારણ કે, Pahalgam Terror Attack ના કારણે 98 ટકા બુકિંગ કેન્સલ થયા છે. હોટલ, રેસ્ટોરેન્ટ, માર્કેટ ખાલીખમ ભાસે છે.

આતંકવાદીઓને અમે જ મારી નાખીશું - સ્થાનિકોનો ઉગ્ર રોષ

Pahalgam Terror Attack ના કારણે જમ્મુ-કાશ્મીરની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી (J&K Tourism Industry) ની કમ્મર તૂટી ગઈ છે. સ્થાનિકોનો મુખ્ય રોજગાર જ પર્યટન માટે આવતા પ્રવાસીઓ પર આધારિત છે. તેથી જ આતંકવાદ વિરુદ્ધ હવે ખુદ કાશ્મીરીઓ જ રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ છે. તેમણે જણાવ્યું છે કે, આતંકવાદીઓને અમે જ મારી નાખીશું, અમને બોર્ડર પર મોકલી દો.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં મેગા સર્ચ ઓપરેશન, Gujarat First નો Exclusive Report

(Gujarat First ની ટીમ MIB ની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી રિપોર્ટિંગ કરાઈ રહ્યુ છે. અમે કોઈપણ લોકેશન અને સમયની અવધિ પણ અમારો રિપોર્ટમાં દર્શાવાતા નથી)

Tags :
Advertisement

.

×