Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India Pakistan Tensions: યુદ્ધવિરામને લઈને પાક PM શાહબાઝ શરીફનો મોટો દાવો, જાણો શું કહ્યું

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે સ્વીકાર્યું હતું કે તેમને ભારતીય હવાઈ હુમલાની જાણકારી જનરલ અસીમ મુનીર દ્વારા આપવામાં આવી હતી.
india pakistan tensions  યુદ્ધવિરામને લઈને પાક pm શાહબાઝ શરીફનો મોટો દાવો  જાણો શું કહ્યું
Advertisement
  • શાહબાઝ શરીફે મોટો દાવો કર્યો
  • ભારતે યુદ્ધવિરામની ઓફર કરી હતી- શરીફ
  • અસીમ મુનીરે ફોન પર માહિતી આપી

Shahbaz Sharif: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે સ્વીકાર્યું હતું કે તેમને ભારતીય હવાઈ હુમલાની જાણકારી જનરલ અસીમ મુનીર દ્વારા આપવામાં આવી હતી. તેણે દાવો કર્યો કે ભારતે યુદ્ધવિરામની ઓફર કરી હતી.

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી, 7 થી 11 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ. પાકિસ્તાને સતત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો, જેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી પર હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે તેમને ભારતીય વાયુસેના દ્વારા નૂર ખાન એરબેઝ અને અન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા વિશે જનરલ અસીમ મુનીરે સવારે 2.30 વાગ્યે ફોન પર માહિતી આપી હતી. તેમણે એવો પણ દાવો કર્યો છે કે ભારત દ્વારા યુદ્ધવિરામની ઓફર કરવામાં આવી હતી.

Advertisement

સુરક્ષા માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, "9-10 મેની રાત્રે લગભગ 2:30 વાગ્યે જનરલ સૈયદ અસીમ મુનીરે મને સુરક્ષિત લાઇન પર બોલાવ્યો અને મને જાણ કરી કે ભારતીય બેલિસ્ટિક મિસાઇલો નૂરખાન એરબેઝ અને કેટલાક અન્ય વિસ્તારોમાં પડી છે. અમારી વાયુસેનાએ આપણા દેશની સુરક્ષા માટે સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને તેઓએ ચીનના ફાઇટર પ્લેન પર આધુનિક ગેજેટ્સ અને ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો."

Advertisement

આ પણ વાંચો : આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેરવા માટે થરૂર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે! કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કર્યો

શાહબાઝ શરીફે મોટો દાવો કર્યો

શાહબાઝ શરીફે વધુમાં કહ્યું, "આજે દરેક જગ્યાએ ચર્ચા એ છે કે પાકિસ્તાની સેનાએ ભારતને કેવી રીતે જવાબ આપ્યો. આપણી સેનાએ પઠાણકોટ, ઉધમપુર અને અન્ય ઘણી જગ્યાએ હુમલો કર્યો અને દુશ્મનોને છુપાવવા માટે જગ્યા પણ મળી ન હતી."

પાકિસ્તાનના પીએમે કહ્યું, "સવારે હું સ્વિમિંગ કરવા ગયો અને મારો ફોન મારી સાથે લઈ ગયો. જનરલ આસિમ મુનીરે મને ફોન કરીને કહ્યું કે અમે તેમને (ભારત) યોગ્ય જવાબ આપ્યો છે અને હવે તેઓ યુદ્ધવિરામ કરવા માંગે છે, તમે આ વિશે શું વિચારો છો? મેં કહ્યું - આનાથી મોટું શું હોઈ શકે. તમે દુશ્મનને જોરદાર થપ્પડ મારી છે અને હવે તે યુદ્ધવિરામ માટે મજબૂર છે અને મને લાગે છે કે તમારે મોડું ન કરવુ જોઈએ અને યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકારવો જોઈએ."

આ પણ વાંચો : Operation Sindoor: ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના 600થી વધુ ડ્રોન કર્યા ધ્વસ્ત

Tags :
Advertisement

.

×