ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Attack: ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન પરેશાન! ISI ચીફ આસીમ મલિકની NSA તરીકે નિયુક્તી

પાકિસ્તાને ISI ચીફ આસીમ મલિકને મોટી જવાબદારી સોંપી છે. ભારત દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણયો બાદ પાકિસ્તાને આસીમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.
08:53 AM May 01, 2025 IST | MIHIR PARMAR
પાકિસ્તાને ISI ચીફ આસીમ મલિકને મોટી જવાબદારી સોંપી છે. ભારત દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણયો બાદ પાકિસ્તાને આસીમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.
ISI Chief Asim Malik gujarat first

Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં ઘણા કઠિન નિર્ણયો લીધા છે. આના કારણે પાકિસ્તાનની બેચેની વધી રહી છે. તેવામાં પાકિસ્તાને હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ISI વડા આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. આસીમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આસીમ મલિકને ISI ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે પાકિસ્તાને આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપ્યો છે. પાકિસ્તાને આસીમ મલિકને એવા સમયે જવાબદારી સોંપી છે જ્યારે ભારત સાથે પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને તાજેતરમાં કહ્યું હતું કે તેણે એવી માહિતીની પુષ્ટિ કરી છે કે ભારત 24 થી 36 કલાકમાં તેના પર હુમલો કરી શકે છે.

પાકિસ્તાનમાં 2022 થી NSA નું પદ ખાલી હતું

એપ્રિલ 2022 થી પાકિસ્તાનમાં કોઈ NSA નથી. પાકિસ્તાનના છેલ્લા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ હતા. હવે તેમના પછી આસીમને જવાબદારી મળી છે. તેઓ ISI ચીફ હોવાની સાથે આ પદ પણ સંભાળશે.

આ પણ વાંચો :  Pahalgam terrorist attack : પાકિસ્તાનની ના 'પાક' હરકત પર ભારત સરકારે લીધો કડક નિર્ણય

ભારતે NSA બોર્ડમાં મોટો ફેરફાર કર્યો

પાકિસ્તાન પહેલા પણ ભારતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિમાં મોટો ફેરફાર કર્યો હતો. ભારતે RAW ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેમાં કુલ 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે NSA બોર્ડમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ કર્યો છે.

ભયના પડછાયામાં પાકિસ્તાન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી, ભારતે કડક વલણ અપનાવીને ઘણા મોટા નિર્ણયો લીધા છે. પાકિસ્તાન હવે ડરી ગયું છે. તેને લાગે છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાને તાજેતરમાં યુએન અને રશિયા સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :  Terror Attack બાદથી પાકિસ્તાનની અવળચંડાઇ જારી, જડબાતોડ જવાબ આપતી ભારતીય સેના

Tags :
Asim MalikGeopoliticsGujarat FirstIndia Pakistan TensionsIndia Strikes BackIndoPak RelationsISI ChiefMihir Parmarnational securitypahalgam attackPakistan NSASouth Asia Crisis
Next Article